Gold Rate Today: અક્ષય તૃતીયાના એક દિવસ પહેલા સોનાના ભાવમાં તેજી આવી છે.
Gold Rate Today: અક્ષય તૃતીયાના એક દિવસ પહેલા સોનાના ભાવમાં તેજી આવી છે. અત્યાર સુધી છેલ્લા પાંચ સત્રોમાં સોનાના ભાવમાં સતત ઘટાડો આવ્યો હતો પરંતુ આજે અક્ષય તૃતીયાથી એક દિવસ પહેલા સોનાનો ભાવને પંખ લાગી ગયા છે. કાલે 30 એપ્રિલના સમગ્ર દેશમાં અક્ષય તૃતીયાના તહેવાર મનાવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે સોનું-ચાંદી ખરીદવુ શુભ રહેશે.
સોનાના ભાવમાં 22 એપ્રિલના 1,00,000 રૂપિયાના સ્તરને પહોંચ્યો હતો. જો કે, ત્યાર બાદથી કરેક્શન આવ્યુ. આજે મંગળવાર 29 એપ્રિલના સોનું કાલની તુલનામાં 400 રૂપિયા સુધી મોંઘુ થયુ છે. 22 કેરેટ સોનાના ભાવ 89,800 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 97,900 રૂપિયા પર છે. ચાંદી 1 લાખ રૂપિયાની ઊપર ટ્રેડ કરી રહી છે. અહીં જામો સોના-ચાંદીના આજે મંગળવાર 29 એપ્રિલ 2025 ના રેટ.
દિલ્હી-મુંબઈમાં સોનાના રેટ
મંગળવાર 29 એપ્રિલ 2025 ના દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ 89,950 રૂપિયા અને 24 કેરેટ સોનું 97,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા. મુંબઈમાં 22 કેરેટ સોનું 89,800 રૂપિયા અને 24 કેરેટ સોનું 97,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યા છે. કાલની તુલનામાં આજે મંગળવારના સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીની તેજી જોવામાં આવી રહી છે.
29 એપ્રિલ 2025 ના આ રહ્યા સોનાના રેટ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
દિલ્હી
₹89,950
₹98,120
ચેન્નઈ
₹89,800
₹97,970
મુંબઈ
₹89,800
₹97,970
કોલકતા
₹89,800
₹97,970
અમેરિકા અને ચીનની વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને ટેક્સને લઈને ચિંતાઓના કારણે સોનાની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મોંઘુ થઈ ગયુ છે, જેનાથી ભારતમાં પણ તેના ભાવ વધી ગયા છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે જો હાલાત સમાન્ય રહ્યા તો આવનાર છ મહીનામાં સોનું આશરે ₹75,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. પરંતુ જો બન્ને દેશોની વચ્ચે તણાવ વધારે વધ્યો, તો સોનાની કિંમત ₹1,38,000 પ્રતિ 10 ગ્રામ સુધી પણ જઈ શકે છે.
ચાંદીના રેટ
મંગળવાર 29 એપ્રિલ 2025 ના ચાંદીના ભાવ 1,00,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. કાલની તુલનામાં આજે ચાંદી 400 રૂપિયા સુધી સસ્તી થઈ છે.
કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત?
ભારતમાં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર, ઈંપોર્ટ ડ્યૂટી, ટેક્સ અને રૂપિયાની કિંમત પર નિભર કરે છે. આ બધી વસ્તુઓથી સોનાના ભાવ નક્કી થાય છે. સોના ભારતમાં ફક્ત રોકાણ માટે નહીં, પરંતુ તેની સાંસ્કૃતિક અને પારંપારિક અહમિયત પણ છે. લગ્ન અને તહેવારોના સમય સોનાની માંગ ઘણી વધી જાય છે, જેનાથી તેની કિંમતોમાં પણ અસર પડે છે.