આધાર કાર્ડ ખોવાઈ જાય તો બેંક ખાતું ખાલી થઈ જશે? UIDAIએ આપી સ્પષ્ટ માહિતી
Aadhaar card lost: આધાર કાર્ડ ગુમ થાય તો શું બેંક ખાતું ખતરામાં છે? UIDAIએ જણાવ્યું કે ફક્ત આધાર નંબરથી પૈસા ઉપાડી શકાય નહીં. સંપૂર્ણ માહિતી અને સુરક્ષા ટિપ્સ જાણો.
જેમ ATM કાર્ડ નંબર જાણવાથી પૈસા નીકળતા નથી, તેમ આધાર નંબર જાણવાથી પણ બેંક ખાતું હેક થતું નથી.
Aadhaar card lost: આજકાલ આધાર કાર્ડ વગર ઘણા કામ અટકી જાય છે. બેંક ખાતું ખોલવું હોય, PM કિસાન યોજનાનો લાભ લેવો હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું હોય કે પાસપોર્ટ માટે અરજી કરવી હોય, દરેક જગ્યાએ આધાર જરૂરી છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક ડર રહે છે: જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું મારું બેંક ખાતું ખાલી થઈ જશે?
આ પ્રશ્નનો જવાબ UIDAI એ સ્પષ્ટ રીતે આપ્યો છે કે ફક્ત આધાર કાર્ડ ખોવાઈ જવાથી બેંક ખાતું ખાલી નથી થતું, UIDAIએ જણાવ્યું છે કે ફક્ત આધાર નંબર, નામ અને સરનામું જાણીને કોઈ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે નહીં.
જેમ ATM કાર્ડ નંબર જાણવાથી પૈસા નીકળતા નથી, તેમ આધાર નંબર જાણવાથી પણ બેંક ખાતું હેક થતું નથી. બેંકમાંથી પૈસા કાઢવા માટે OTP, PIN, અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી વધારાની સુરક્ષા જરૂરી છે. જો તમે આ માહિતી કોઈને ન આપો, તો તમારું ખાતું 100% સુરક્ષિત છે.
UIDAIનું નિવેદન
“આધાર નંબરથી બેંકિંગ કે અન્ય સેવાઓનો દુરુપયોગ થઈ શકતો નથી. આવો એક પણ કેસ સામે આવ્યો નથી.” પરંતુ સાવધાન રહેવું જરૂરી છે, જોકે ફક્ત આધાર કાર્ડથી પૈસા ન ઉપાડાય, પરંતુ છેતરપિંડી કરનારા તમારી આધાર માહિતીનો ઉપયોગ કરીને નકલી બેંક ખાતું ખોલાવી શકે છે, તમારા નામે લોન માટે અરજી કરી શકે છે, નવું સિમ કાર્ડ ખરીદી શકે છે
આનાથી તમને નાણાકીય નુકસાન અને કાનૂની મુશ્કેલી આવી શકે છે. UIDAI તમારી પ્રાઇવસીનું ધ્યાન રાખે છે UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે તમારા બેંક ખાતા, શેર, મ્યુચ્યુઅલ ફંડ, આરોગ્ય રેકોર્ડ, કુટુંબ, જાતિ, ધર્મ કે શિક્ષણ વિશે કોઈ માહિતી નથી. તેઓ ફક્ત નોંધણી સમયે આપેલી મૂળભૂત માહિતી જ રાખે છે:
- નામ
- સરનામું
- જન્મ તારીખ
- 10 ફિંગરપ્રિન્ટ
- 2 આઈરિસ સ્કેન
- ફોટો
- મોબાઈલ નંબર (વૈકલ્પિક)
શું કરવું જોઈએ?
આધાર કાર્ડ ખોવાઈ જાય તો તરત જ લોક કરાવો – uidai.gov.in પર mAadhaar એપ ડાઉનલોડ કરી e-Aadhaar ડાઉનલોડ કરો, કોઈને પણ OTP કે PIN ન આપો, આધાર લોક કરીને બાયોમેટ્રિક સુરક્ષિત કરો
આધાર કાર્ડ ખોવાઈ જવાથી તમારું બેંક ખાતું ખાલી થવાનો કોઈ ડર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. UIDAIએ સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરી છે.