આ નિયમો ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, બેંગલુરુ, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં રહેતા લાખો ભાડુઆતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Rent Agreement Rules 2025: જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા ભવિષ્યમાં રહેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદોને સમાપ્ત કરવા માટે 'રેન્ટ એગ્રીમેન્ટ નિયમ 2025' લાગુ કરી દીધા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ ભાડા કરારની પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને સુરક્ષિત બનાવવાનો છે.
મકાન માલિકો દ્વારા મનફાવે તેમ ભાડું વધારવું, વધુ પડતી સિક્યોરિટી ડિપોઝિટની માંગણી કરવી અને ભાડુઆતોને નાની-નાની વાતમાં પરેશાન કરવા જેવી સમસ્યાઓ હવે ભૂતકાળ બની જશે. આ નિયમો ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, બેંગલુરુ, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં રહેતા લાખો ભાડુઆતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ચાલો, વિગતવાર જાણીએ કે આ નવા નિયમોમાં તમારા માટે શું ખાસ છે.
ભાડા કરાર 2025ના મુખ્ય નિયમો જે તમારે જાણવા જ જોઈએ
ફરજિયાત રજિસ્ટ્રેશન: દરેક ભાડા કરાર પર સહી કર્યાના 60 દિવસની અંદર ડિજિટલ સ્ટેમ્પ લગાવીને ઓનલાઈન રજિસ્ટર્ડ કરાવવો ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ન કરાવવા પર રાજ્યના નિયમો મુજબ 5,000થી શરૂ કરીને વધુ દંડ લાગી શકે છે.
સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા: રહેણાંક મકાન માટે મકાન માલિક હવે 2 મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટી માટે આ મર્યાદા 6 મહિનાની રાખવામાં આવી છે.
ભાડું વધારવાનો નિયમ: મકાન માલિક 12 મહિના પૂરા થયા પછી જ ભાડું વધારી શકશે. ભાડું વધારતા પહેલા, તેમણે ઓછામાં ઓછા 90 દિવસ અગાઉ ભાડુઆતને લેખિતમાં નોટિસ આપવી પડશે.
મકાન ખાલી કરાવવાનો નિયમ: હવે મકાન માલિક પોતાની મરજીથી ભાડુઆતને ઘર ખાલી કરાવી શકશે નહીં. માત્ર રેન્ટ ટ્રિબ્યુનલ (ભાડાપંચ)ના આદેશ પર અને કાયદાકીય કારણોસર જ મકાન ખાલી કરાવી શકાશે.
રિપેરિંગની જવાબદારી: જો ભાડુઆત દ્વારા મકાનમાં જરૂરી રિપેરિંગની જાણ કરવામાં આવે, તો મકાન માલિકે 30 દિવસની અંદર તે કામ કરાવવું પડશે. જો તેઓ આમ ન કરે, તો ભાડુઆત રિપેરિંગનો ખર્ચ ભાડામાંથી કાપી શકશે.
મકાન માલિકની મુલાકાત: મકાન માલિકે ભાડાના ઘરમાં તપાસ કે અન્ય કોઈ કારણસર આવતા પહેલા ઓછામાં ઓછા 24 કલાક અગાઉ લેખિત નોટિસ આપવી પડશે.