કર્મચારીઓ માટે ખુશખબરી! નવા લેબર કોડ્સથી નિવૃત્તિ ભંડોળમાં 2.13 કરોડનો થશે વધારો, જાણો કેવી રીતે?
New Labor Codes: નવા લેબર કોડ્સથી તમારી ટેક-હોમ સેલેરી ભલે ઓછી દેખાય, પરંતુ PF અને NPSમાં વધેલા યોગદાનથી નિવૃત્તિ સમયે કરોડોનું ફંડ મળશે. જાણો Taxbuddy.com ના સંસ્થાપક સુજીત બાંગરની વિગતવાર ગણતરી.
સંશોધિત નિયમો લાગુ થયા બાદ હવે બેઝિક સેલેરી CTCના ઓછામાં ઓછા 50 ટકા હોવી ફરજિયાત છે.
New Labor Codes: ભારત સરકારે 29 જૂના શ્રમ કાયદાઓને મર્યાદિત કરીને 4 નવા લેબર કોડ્સ લાગુ કર્યા છે. આ નવા નિયમો આવ્યા બાદ સૌથી વધુ ચર્ચા કર્મચારીઓના પગાર માળખા પર થઈ રહી છે. ઘણા લોકો એ જાણવા ઉત્સુક છે કે નવા કોડ્સથી તેમની સેલેરી પર શું અસર થશે. નિષ્ણાતોએ આ અંગે વિગતવાર સમજણ આપી છે અને જણાવ્યું છે કે કેવી રીતે આનાથી લાંબા ગાળે કરોડોનો ફાયદો થઈ શકે છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નવા લેબર કોડ્સને કારણે કર્મચારીઓની 'ટેક-હોમ સેલેરી' (હાથમાં આવતો પગાર) ઘટી જશે. જોકે, આ સાથે પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યુઇટી અને પેન્શન જેવી સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેમનું યોગદાન વધશે. આ ફેરફાર ખાસ કરીને નિવૃત્તિ માટે એક મોટું ભંડોળ બનાવવામાં મદદ કરશે.
PF યોગદાન વધવાથી નિવૃત્તિ ફંડ કરોડોમાં કેવી રીતે બદલાશે?
નિષ્ણાંતોના મતે નવા લેબર કોડ્સ હેઠળ કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થઈ રહ્યો છે, જેનાથી ભવિષ્ય નિધિ (PF) અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) માં યોગદાન દ્વારા કર્મચારીઓને મોટો ફાયદો મળી શકે છે. પહેલા બેઝિક સેલેરી કંપનીના કુલ ખર્ચ ના લગભગ 35 ટકા જેટલી રહેતી હતી. આ કારણે, પગારનો એક મોટો ભાગ ટેક્સ-ફ્રેન્ડલી એલાઉન્સિસમાં જતો હતો, જ્યારે PF અને NPSમાં કપાત ઓછી રહેતી હતી. તેમનું કહેવું છે કે જૂની સિસ્ટમમાં જાણીજોઈને PF ઓછો રાખવામાં આવતો હતો.
નિયમોમાં ફેરફાર: બેઝિક સેલેરી હવે CTCના 50 ટકા
સંશોધિત નિયમો લાગુ થયા બાદ હવે બેઝિક સેલેરી CTCના ઓછામાં ઓછા 50 ટકા હોવી ફરજિયાત છે. આ ફેરફારથી PF અને NPS બંનેમાં થતું યોગદાન વધશે, કારણ કે આ બંનેની ગણતરી બેઝિક સેલેરીના આધારે કરવામાં આવે છે.
કરોડો રૂપિયાનું ફંડ કેવી રીતે બનશે?
ચાલો એક ઉદાહરણ લઈએ: એક 30 વર્ષીય કર્મચારી કે જેનો CTC 12 લાખ છે.
જૂના નિયમો મુજબ: તેનું માસિક PF યોગદાન (નોકરીદાતા અને કર્મચારી બંને તરફથી) લગભગ 7,200 થતું હતું.
નવા નિયમો મુજબ: બેઝિક સેલેરી CTCના 50% થતા, તેમનું માસિક PF યોગદાન વધીને લગભગ 12,000 થઈ જશે.
આનો અર્થ એ થયો કે PF યોગદાનમાં દર મહિને 4,800નો વધારો થશે. આ 4,800ની માસિક વૃદ્ધિ, જો 30 વર્ષ સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધે, તો નિવૃત્તિ સમયે કુલ 1.24 કરોડની વધારાની PF બચતમાં પરિવર્તિત થઈ છે. 30 વર્ષની નિવૃત્તિ સુધીમાં, આ કર્મચારીનું કુલ PF ભંડોળ 3.11 કરોડ જેટલું થઈ શકે છે. આ જ રીતે, NPSમાં પણ યોગદાન વધવાથી આગામી 30 વર્ષમાં લગભગ 1.07 કરોડનો વધારાનો ભંડોળ ઉમેરાશે.
કુલ નિવૃત્તિ ફંડમાં મોટો ઉછાળો: નિષ્ણાતોના અંદાજ મુજબ, 30 વર્ષ પછી કર્મચારીનું કુલ નિવૃત્તિ ભંડોળ આશરે 3.46 કરોડથી વધીને 5.77 કરોડ થઈ શકે છે, જે 2.31 કરોડનો કુલ વધારો દર્શાવે છે.
લાંબાગાળાની સુરક્ષા આપતી યોજનાઓ
બાંગર ભારપૂર્વક કહે છે કે નિવૃત્તિ ભંડોળ પર મળતું આ ચક્રવૃદ્ધિ વ્યાજ મોટાભાગની અન્ય બચત યોજનાઓ કરતાં શ્રેષ્ઠ છે. તેમણે જણાવ્યું કે મ્યુચ્યુઅલ ફંડ SIPs (Mutual Fund SIPs) સામાન્ય રીતે 3-5 વર્ષમાં બંધ થઈ જાય છે અને ફિક્સ્ડ ડિપોઝીટનો ચોક્કસ સમય પછી ભુગતાન થઈ જાય છે. પરંતુ PF અને NPS એ ફરજિયાત, કપાત-આધારિત યોજનાઓ છે અને તેથી જ તે જીવનભરની સંપત્તિ બનાવવામાં મદદ કરે છે.
ભલે ટૂંકા ગાળા માટે હાથમાં આવતા પગારમાં થોડો ઘટાડો જોવા મળી શકે, પરંતુ બાંગર દલીલ કરે છે કે નવી વ્યવસ્થા એક શિસ્તબદ્ધ બચત પ્રણાલી દ્વારા લાંબાગાળાની નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે, જે કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે.