Budget 2025: કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના કૃષિ પ્રધાનો સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્રીય બજેટ પહેલા ચાલુ કાર્યક્રમો અને બજેટ ફાળવણી અંગે તેમના સૂચનો માંગ્યા હતા. એક સરકારી નિવેદન અનુસાર, વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન, ચૌહાણે નાણાકીય વર્ષ 2024-25માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના 3.5થી 4 ટકાના સંભવિત ઊંચા વૃદ્ધિ દર પર સંતોષ વ્યક્ત કર્યો અને રાજ્ય સરકારોને ઝડપી ગતિએ કામ કરવા વિનંતી કરી. તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલનું સ્વાગત કર્યું, જે દર્શાવે છે કે ગ્રામીણ ગરીબી દર FY2023માં 7.2 ટકાથી ઘટીને FY2024માં પાંચ ટકાથી નીચે આવી ગયો છે.
સરકારનું નવી કૃષિ પદ્ધતિઓ પર પણ ધ્યાન
મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે છ-પોઇન્ટ વ્યૂહરચના અમલમાં મૂકી રહ્યું છે, જેમાં ICAR દ્વારા રિસર્ચ દ્વારા પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં વધારો અને નવી બીજની જાતો બહાર પાડવાનો સમાવેશ થાય છે. સરકાર ઉત્પાદન ખર્ચ ઘટાડવા, સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવા, કૃષિ યાંત્રિકીકરણ, ટેકનોલોજી અપનાવવા અને ખેતીની નવી પદ્ધતિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચૌહાણે PM-કિસાન, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, DAP ખાતર સબસિડી, કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PMAASA) સહિતની મુખ્ય યોજનાઓની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.
કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર