India-US Relations: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ આપવા માટે નોંધપાત્ર પગલું ભરાયું છે. સોમવારે, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ-સ્થિરતા માટે સહયોગ વધારવા પર ચર્ચા કરી.
રુબિયોએ મુલાકાત બાદ જણાવ્યું, "ભારત અમેરિકા માટે અત્યંત મહત્વનું પાર્ટનર છે." તેમણે વેપાર, રક્ષા, ઊર્જા, દવાઓ અને મહત્વના ખનિજો જેવા ક્ષેત્રોમાં ભારત સાથેના સહયોગની પ્રશંસા કરી. જયશંકરે X પર લખ્યું, "રુબિયો સાથે ન્યૂયોર્કમાં મળીને આનંદ થયો. અમે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરી. પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં આગળ વધવા માટે નિયમિત સંપર્ક જાળવવા સંમત થયા."
ક્વોડ અને વેપાર પર ખાસ ધ્યાન
આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ગઠબંધન ક્વોડ દ્વારા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકાયો. બંને દેશો વચ્ચે વેપારને 2030 સુધીમાં 191 અરબ ડોલરથી વધારીને 500 અરબ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ માટે ભારતીય પ્રતિનિધિમંડળ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં, અમેરિકી અધિકારીઓ સાથે વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા ચર્ચા કરી રહ્યું છે.
Good to meet @SecRubio this morning in New York.
Our conversation covered a range of bilateral and international issues of current concern. Agreed on the importance of sustained engagement to progress on priority areas.