કોરોના વાયરસના ભારતમાં 25 કેસ નોંધાયા - india reported 25 cases of corona virus | Moneycontrol Gujarati
Get App

કોરોના વાયરસના ભારતમાં 25 કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 3 દર્દી સારવાર બાદ ઠીક થઇ ચૂક્યા છે.

અપડેટેડ 11:03:38 AM Mar 05, 2020 પર
Story continues below Advertisement

ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 3 દર્દી સારવાર બાદ ઠીક થઇ ચૂક્યા છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસની અસર થઇ છે તેના કારણે અન્ય 6 વ્યક્તિને પણ આ વાયરસની અસર થઇ છે. દિલ્હીના વ્યક્તિએ ઇટલીથી પરત આવ્યા બાદ આગ્રામાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં આગ્રાના 6 સંબંધીઓ હાજર રહ્યા હતા અને તેના કારણે તેઓ પણ આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને વાયરસથી પ્રભાવિત થયા.

આ સાથે જયપુરમાં ઇટાલિયન નાગરિક જે ભારત પ્રવાસ પર હતા તેને કોરોના વાયરસની અસર હતી જેના કારણે તેના ગ્રુપમાં આવેલા અન્ય 15 ઇટાલિયન નાગરિકો પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. આ સાથે આ ઇટાલિયન ગ્રુપને પ્રવાસ કરાવનાર ટુર ડ્રાઇવરને પણ વાયરસની અસર થઇ છે અને હાલ કુલ 25 લોકો ભારતમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે વાયરસ સામે લડવા માટે સરકાર પુરી રીતે તૈયાર છે અને ગભરાવવાની કોઇ જરૂરત નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 4:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.