કોરોના વાયરસના મુદ્દે સંસદમાં ચર્ચા - discussion in parliament on corona virus issue | Moneycontrol Gujarati
Get App

કોરોના વાયરસના મુદ્દે સંસદમાં ચર્ચા

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ પડકાર સામે લડવા માટે વડાપ્રધાન પોતે બધી સ્થિતિ અને તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.

અપડેટેડ 06:54:10 PM Mar 06, 2020 પર
Story continues below Advertisement

ભારતમાં કોરોના વાયરસનો મુદ્દો હવે સંસદમાં પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજે રાજ્યસભામાં આ મુદ્દા પર નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતમાં જાન્યુઆરીથી આ વાયરસ સામે લડવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે આ પડકાર સામે લડવા માટે વડાપ્રધાન પોતે બધી સ્થિતિ અને તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.

ગાઝીયાબાદમાં ઇરાનથી પરત ફરેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોના વાયરસથી ભારતમાં અસરગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા 30 પર પહોંચી છે જેમાંથી 3 વ્યક્તિને પહેલા અસર પહોંચી હતી જે સારવાર બાદ ઠીક થઇ ચૂક્યા છે.

30માં 16 વ્યક્તિ ઇટાલિયન નાગરિક છે, સરકારે સ્થિતિને જોતા બધા વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનિંગ બધા એરપોર્ટ પર ફરજીયાત કરી દીધું છે. આ સાથે હોળીનો તહેવાર નજીક છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ હોળી ઉજવણીના કાર્યક્રમથી દુર રહેવાનું નક્કી કર્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 05, 2020 3:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.