મોતિલાલ ઓસવાલ એએમસીના સીઈઓ, આશિષ સોમૈયાનું કહેવુ છે કે બજારમાં 2-3 સપ્તાહ માર્કેટમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. બજારનો ઘટાડો એ કોરોના વાયરસની અસર છે. કોરોનાની અર્થતંત્ર પર કેટલી અસર થઇ તે 6 મહિના પછી જ ખબર પડશે.
આશિષ સોમૈયાના મતે દરેક દેશે પોતાની બોર્ડર પર રોક લગાવી. જે સેક્ટર્સ પર ધીમી ગ્રોથ હતી તેના પર વધુ અસર જોવા મળી. હજુ આગળ વ્યાજ દર ઘટવાની શક્યતા. માર્કેટમાં આગળ મોટી રિકવરી આવશે. ઑટો સેક્ટરમાં આગળ રિકવરીની અપેક્ષા છે. GST રેટ ઘટાડ્યા બાદ પણ કલેક્શન વધ્યુ છે.