માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી: આશિષ સોમૈયા - no need to take a wrong step by panic in the market ashish somaiya | Moneycontrol Gujarati
Get App

માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી: આશિષ સોમૈયા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આશિષ સોમૈયા પાસેથી.

અપડેટેડ 09:36:49 AM Mar 20, 2020 પર
Story continues below Advertisement

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશિષ સોમૈયા પાસેથી.

આશિષ સોમૈયાનું કહેવુ છે કે આવનારા સમયમાં વાયરસ ક્યારે કાબૂમાં આવે છે તેના પર નજર રહેશે. 2008મા લૅહમેન બ્રધર્સની કટોકટી બાદ વાયરસના ડરથી માર્કેટ તૂટી રહ્યાં છે. વાયરસના કાબૂમાં આવ્યા બાદ અર્થતંત્ર કેમ સ્થિર થાય તેના પ્રયત્નો ચાલૂ છે.

આશિષ સોમૈયાના મતે ડર કારણે ઘણી ફાઈનાન્શિયલ પોઝિશન અનવાઈન્ડ થાય છે. લિક્વિડિટી વધારવાથી કોરોનાનો ડર થોડો ઓછો થશે. હાલમાં ગભરાટમાં વેચવાની બિલકુલ જરૂરત નથી. નિફ્ટી 500, મિડકેપ ઇન્ડેક્સમાં ખરીદારી કરી શકાય.

આશિષ સોમૈયાનું માનવુ છે માર્કેટમાં રોકાણ કરવા કરતા વાયરસ પર કાબૂ વધુ જરૂરી છે. માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી. હાલમાં મોટા ભાગની સારી બેન્કના ભાવ 50% કરતા વધુ તૂટી ગયા છે.

આશિષ સોમૈયાના મુજબ ઘટતા બજારમાં નવી ખરીદીની હિંમત ભલે ના હોય પણ ગભરાટમાં વેચો તો નહિ. ઇન્શ્યોરન્સ, FMCGમાં રિકવરી આવશે. વ્હાઇટ ગુડ્સની માગ ઘટતી દેખાઇ રહી છે.


MoneyControl News

MoneyControl News

First Published: Mar 19, 2020 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.