ભારતમાં કોરોના વાયરસના કુલ 60 કેસ નોંધાયા છે. જોકે આમાંથી 3 લોકો સારવારથી ભય બહાર છે. કેરળ અને જમ્મુમાં બધા સ્કુલ અને કોલેજોને હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. એર ઇન્ડિયાની મિલાનથી આવેલી ફ્લાઇટના મુસાફરોને દિલ્હીમાં અલગ રાખવામાં આવ્યા અને બધા પેસેન્જરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
ઇરાનમાં ફસાયેલા ભારતીયોને પરત ભારત લાવવા પર વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં માહિતી આપી કે સરકાર તેમને પરત લાવવાના પુરા પ્રયત્નોમાં છે. આ સાથે ટર્કી અને જમાયકાએ પણ તેનો પહેલો કોરોના વાયરસનો કેસ નોંધાવ્યો છે. દુનિયાભરમાં કુલ 1,15,000 લોકોને વાયરસની અસર થઇ છે જેમાંથી 4200થી વધુ લોકોના મૃત્યુ થયા છે.