અમદાવાદ પ્લેન ક્રેશ: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સોનિયા ગાંધીએ વ્યક્ત કરી સંવેદના, 150 લોકોના મોતની પુષ્ટિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રેસ્ક્યૂ અને રાહત કામગીરીના આદેશ આપ્યા છે. તેમણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાત સરકારને તમામ સહાયની ખાતરી આપી છે અને તેઓ અમદાવાદ પહોંચી ગયા છે.
150 જેટલા લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જોકે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતાં ટેકઓફ દરમિયાન થોડી જ મિનિટોમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડતાં મોટી જાનહાનિ થઈ. પ્રાથમિક અહેવાલો અનુસાર, 150 જેટલા લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જોકે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા ઘણા ઇન્ટર્ન ડોક્ટર્સ અને મેડિકલ વિદ્યાર્થીઓના મોતની આશંકા છે, જેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સંવેદના
I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.
— President of India (@rashtrapatibhvn) June 12, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં X પર પોસ્ટ કરી: "અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. આ દુ:ખની ઘડીમાં રાષ્ટ્ર તેમની સાથે એકતામાં ઉભું છે."
The unfortunate incident in Ahmedabad has left us confronting a devastating human tragedy. My thoughts and prayers are with all those affected. In this moment of grief, the nation stands united in solidarity with them. — Vice-President of India (@VPIndia) June 12, 2025
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ શોક વ્યક્ત કરતાં જણાવ્યું: "અમદાવાદની આ દુર્ઘટના એક ભયાનક માનવીય ત્રાસદી છે. મારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ અસરગ્રસ્તો સાથે છે. દેશ આ શોકની ઘડીમાં એકજૂટ થઈને તેમની સાથે ઉભો છે."
સોનિયા ગાંધી અને કોંગ્રેસનો શોક સંદેશ
I am deeply shocked and saddened by the tragic plane crash in Ahmedabad. My thoughts are with the families of the passengers and the crew. The visuals are most heart-wrenching. The entire country is overtaken by grief and is praying, says Congress MP Sonia Gandhi pic.twitter.com/wZv2dGok9s
કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું: "અમદાવાદની આ દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હું ખૂબ જ આઘાતમાં અને દુ:ખી છું. મારી સંવેદનાઓ મુસાફરો અને ક્રૂના પરિવારો સાથે છે. આ દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક છે. આખો દેશ શોકમાં છે અને પ્રાર્થના કરી રહ્યો છે."
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું: "આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે હું શ્રદ્ધાંજલિ અર્પું છું. સરકારે મૃતકોના પરિવારો અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોની તાત્કાલિક મદદ કરવી જોઈએ. કોંગ્રેસ નેતાઓ રાહત કાર્યમાં સહયોગ આપશે. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ."
દુર્ઘટનાની વિગતો
ફ્લાઇટ AI171 એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે ટેકઓફ કર્યું હતું અને થોડી જ મિનિટોમાં મેઘનીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા.
આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા 50-60 ઇન્ટર્ન ડોક્ટર્સ હાજર હતા, જેમાંથી ઘણાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) અનુસાર, હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીઓ હાજર હતા જ્યાં વિમાન ક્રેશ થયું.
રેસ્ક્યૂ અને રાહત કામગીરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રેસ્ક્યૂ અને રાહત કામગીરીના આદેશ આપ્યા છે. તેમણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાત સરકારને તમામ સહાયની ખાતરી આપી છે અને તેઓ અમદાવાદ પહોંચી ગયા છે.