જમ્મુ-કાશ્મીરમાં આવનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં કાશ્મીર ખીણના પ્રખ્યાત મુસ્લિમ નેતા ગુલામ મોહમ્મદ મીરનું નામ પણ સામેલ છે, જે પાર્ટીની વિસ્તરીય રણનીતિનો મહત્વનો ભાગ ગણાય છે. ઉપરાંત રાકેશ મહાજન અને સતપાલ શર્માને પણ ટિકિટ આપવામાં આવી છે. આ ચૂંટણી 24 ઓક્ટોબર, 2025ના રોજ યોજાશે, જેમાં કુલ 4 બેઠકો પર વોટિંગ થશે, પરંતુ ભાજપ 3 પર લડી રહી છે.
ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ નિર્ણય લીધો છે, જેમાં ગુલામ મોહમ્મદ મીરને કોન્સ્ટિટ્યુએન્સી 01, રાકેશ મહાજનને કોન્સ્ટિટ્યુએન્સી 02 અને સતપાલ શર્માને કોન્સ્ટિટ્યુએન્સી 03માંથી લડાડવાનો નક્કી કરાયો છે. સતપાલ શર્મા હાલ જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ પદ પર છે અને આ તેમની બીજી ટર્મ છે, જ્યારે રાકેશ મહાજન જમ્મુ વિસ્તારના સીનિયર લીડર છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने जम्मू एवं कश्मीर में होने वाले 03 (तीन) अलग-अलग अधिसूचना के द्विवार्षिक राज्य सभा चुनाव 2025 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/CDCkL4pt35
રાજકીય વિશ્લેષકોના મતે આ પસંદગી ભાજપની કાશ્મીર ખીણમાં મુસ્લિમ સમુદાય સુધી પોંચવાની વ્યૂહરચનાનો ભાગ છે. ગુલામ મોહમ્મદ મીર જેવા સ્થાનિક નેતાને ટિકિટ આપીને પાર્ટી વિસ્તાર કરવા માંગે છે, જ્યારે જમ્મુ ક્ષેત્રમાંથી બીજા બે ઉમેદવારો વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. આ યુનિયન ટેરિટરીના રાજકીય અને સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને કરાયેલી પસંદગી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી 4 રાજ્યસભા બેઠકો 2021ના ફેબ્રુઆરીથી ખાલી છે, અને આ ચૂંટણી અનેક વર્ષો પછી યોજાઈ રહી છે. નેશનલ કોન્ફરન્સે પણ તેના ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે, અને ચોથી બેઠક માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. નામાંકનની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર છે, તેથી આગામી દિવસોમાં રોનક વધશે.
આ ચૂંટણી ભાજપ માટે મહત્વની છે, કારણ કે તેનાથી પાર્ટીનો પ્રભાવ વધારી શકે છે. વિશ્લેષકો કહે છે કે મુસ્લિમ નેતાને સમાવેશ કરીને ભાજપ સમાવેશી ઈમેજ બનાવવા પ્રયત્ન કરી રહી છે, જે લાંબા ગાળે ફાયદાકારક થઈ શકે.