વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને કરોડોની કિંમતની ભેટ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સૌથી પહેલા હરહુઆના હરિહરપુરમાં બનેલ આરજે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કાંચીના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. શંકરાચાર્યએ NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)નો નવો અર્થ પણ આપ્યો. શંકરાચાર્યએ કહ્યું કે આપણા દેશમાં ચાલી રહેલી એનડીએ સરકાર એટલે નરેન્દ્ર દામોદરદાસની શિસ્ત. આ સાંભળીને શંકરાચાર્યની બાજુમાં બેઠેલા પીએમ મોદી પણ હસી પડ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે.



