Rahul Gandhi Bharat Nyaay Yatra: 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાયયાત્રા શરૂ કરશે. આ યાત્રા 14 જાન્યુઆરી 2024 ના રોજ મણિપુરથી શરૂ થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેશે. રાહુલ ગાંધી બસ અને પગપાળા 6,200 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે.
આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ભારત ન્યાયયાત્રાનો ઉદ્દેશ્ય આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને લીલી ઝંડી આપશે.
ત્યારબાદ રાહુલે 3570 કિલોમીટરની યાત્રામાં 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લીધા..મહત્વનું છે કે અગાઉ રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરુ કરવાના હતા જો કે હવે ગુજરાતનો પ્લાન પડતો મુકી દેવાયો છે...આ યાત્રામાં ગુજરાતનો સમાવેશ કરવામાં નથી આવ્યો.