TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો - brokerage estimates on tcss q2 results revenue may rise 17 percent | Moneycontrol Gujarati
Get App

TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો

જાણકારોનું આ પણ કહેવું છે કે કંપનીના રૂપિયામાં થતી આવકમાં બીજા ત્રિમાસિકમાં દરેક ત્રિમાસિકના આધાર પર 4.1 ટકાનો વધારો જોવા મળી શકે છે

અપડેટેડ 03:43:58 PM Oct 09, 2022 પર
Story continues below Advertisement

TCS Earning Preview: જાણકારોનું માનવું છે કે બીજા ત્રિમાસિકમાં આઈટી કંપનીઓના પરિણામો સારા રહેશે. જણાવ્યું છે કે ભારતની દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ સોમવારે 10 ઓક્ટોબરના 30 સપ્ટેમ્બર 2022ના પૂરા થતા નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કરશે. મનીકંટ્રોલ દ્વારા કંપનીના પરિણામોના અનુમાન પર 5 બ્રોકરેજની વચ્ચે કરાવેલા પોલથી નીકળીને આવ્યા છે કે જુલાઈ-સપ્ટેમ્બર 2022ના આ ત્રિમાસિકમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક આધાર પર 5.4 ટકાના વધારા સાથે 10,151 કરોડ રૂપિયા પર રહી શકે છે. આ રીતે કંપનીનો કન્સોલિડેટેડ આવક વાર્ષિક આધાર પર 17.2 ટકાના વધારા સાથે 54,949 કરોડ રૂપિયા પર રહી શકે છે.

જણાવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ નફો 9,624 કરોડ રૂપિયા પર રહ્યો હતો જ્યારે કન્સોલિડેટેડ રેવેન્યુ 46,867 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં કંપનીનો નફો 9,478 કરોડ રૂપિયા પર રહ્યો હતો. જ્યારે આવક 52,758 કરોડ રૂપિયા પર રહી હતી.

HDFC Securities ના મત મુજહ સારી ડિલ, એગ્જિકુશન અને કોન્ટ્રાક્ટોમાં મજબૂતી કંપની માટે સારા સંકેત છે. યુરોપમાં તમામ મુશ્કેલીઓ હોવા છતાં પણ કંપનીને M&S, Boots, Nokia અને  Zurich Insurance પાસેથી સારા કોન્ટ્રાક્ટ મળ્યા છે.

આ 5 સ્ટોક્સનો MSCI ના ઈન્ડેક્સમાં થઈ શકે છે સમાવેશ, જાણો શું કહ્યું Edelweiss આ વિશે

જાણકારોનું માનવું છે કે કંપનીના રૂપિયામાં થતી આવકમાં બીજા ત્રિમાસિકમાં દરેક ત્રિમાસિકના આધાર પર 4.1 ટકાનો વધારો જોવા મળી શકે છે. ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડાથી કંપનીને ફાયદો થશે. જ્યારે કોન્સ્ટેન્ટ કરન્સી ટર્મમાં કંપનીના કારોબારમાં ત્રિમાસિક આધાર પર 3.5 ટકાનો વધારો જોવા મળી શકે છે.


આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે ટીસીએસને BFSI, હેલ્થકેર અને રિટેલ સેક્ટરમાં વધતી માંગ અને ડિજિટલ ટેક્નોલોજીના વધતા પ્રસારથી ફાયદો થશે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને જેફરીઝ બંનેનું માનવું છે કે બીજા ત્રિમાસિકમાં ટીસીએસનો એબિટડા માર્જિન 1.6 ટકા પર રહી શકે છે. જ્યારે Elara નું માનવું છે કે કંપનીનો એબિટડા માર્જિન 23.5 ટકા પર રહી શકે છે.

જણાવ્યું છે કે 10 ઓક્ટોબરના ટીસીએસનું બોર્ડ બીજા અંતિમ લાભની પણ જાહેરાત કરશે તેના પર બજારની નજર રહેશે. તે પણ જણાવી દઈએ કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં FIIની વેચવાલી દ્વારા 2022માં હજુ સુધી ટીસીએસમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. 26 સપ્ટેમ્બરના આ સ્ટોકે 2926 રૂપિયાનું તેનું 52 વીક લો પર પહોંચ્યું હતું. પરિણામો પહેલા આ સ્ટોક લાલ નિશાન પર જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2022 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.