દેશની દિગ્ગજ એફએમસીજી કંપની આઈટીસીના શેર આજે સમાવારના કારોબારમાં હળવો વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે કંપનીના પહેલા ક્વાર્ટરના પરિણામ આવનારાના પરિણામ આવાન છે. તેના પરિણામ પહેલા ટ્રેડર આ સ્ટૉકને લઇને સતત નજર રાખી રહ્યા છે. 10.35 વાગ્યાની આસપાસ એનએસઈ પર આઈટીના શેર 2.95 રૂપિયા એટલે 0.97 ટકા વધારાની સાથે 306 રૂપિયાના સ્ચર પર કારોબાર કરતો જોવા મળી રહ્યો હતો. આ સ્ટૉક અત્યાર સુધી 39 ટકાના વધારા સાથે વર્તમાન વર્ષની સૌથી સારા પ્રદર્શન કરવા વાળા શેર માંથી રહ્યા છે.
Yes Securitiesનું કહેવું છે કે પહેલા ક્વાર્ટરમાં કંપનીના વૉલ્યૂમ અને વેલ્યૂમાં વર્ષના આધાર પર 6 ટકા અને 3 ટકાની ગ્રોથ જોવા મળી શકે છે. તેના સિવાય ક્વાર્ટરના આધાર પર કંપનીના માર્જીનમાં પણ મજબૂતીની સંભાવના છે. બ્રોકરેજ હાઉસનું આ પમ માનવું છે કે 30 જૂન 2022ને સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના રેવેન્યૂમાં વર્ષના આધાર પર 10 ટકા અને નફામાં 22 ટકાની ગ્રોથ જોવા મળી શકે છે.
જણાવી દઈએ કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના કંસોલિટેડેટ નફામાં 11.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને આ 4196 કરોડ રૂપિયા પર રહી હતી. ગયા ક્વાર્ટરમાં કંપનીના સિગરેટ કારોબારથી થવા વાળી કમાણીમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના નફામાં સારો સપોર્ટ મળ્યો હતો.
Axis Securitiesને પહેલા ક્વાર્ટરમાં કંપનીના પછલા ક્વાર્ટરની સરખામણીમાં સારો પ્રદર્શન કરવાની આશા છે. કંપનીનો આશા છે કે આ સમાય ગાળામાં કંપનીના રેવેન્યૂમાં વર્ષના આધાર પર 20 ટકા અને નેટ પ્રોફિટમાં વર્ષના આધાર પર 37 ટકાની ગ્રોથ જોવા મળી શકે છે.
એક્સિસ સિક્યોરિટીઝએ તેના રિપોર્ટમાં કહ્યું કે 30 જૂન 2022ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના સિગરેટ કારોબારની ગ્રોથમાં વર્ષના આધાર પર 10 ટકા (વૉલ્યૂમમાં 6-7 ટકા)નો વધારો જોવા મળી શકે છે. જ્યારે કંપનીના એફએમસીજી કારોબારની ગ્રોથ 7-8 ટકા પર રહી શકે છે. કંપનીના એફએમસીજી કારોબાર પર નહળા સેન્ટિમેન્ટની અસર જોવા મળશે.
તેના સિવાય કંપનીના હૉટેલ, પેપર અને એગ્રી કારોબારની ગ્રોથ મધ્યમ સ્તર પર રહી શકે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે 30 જૂન 2022ના સમાપ્ત ક્વાર્ટરમાં એહિટડા માર્જિનમાં 1.70 ટરાનો વધારો જોવા મળી શકે છે.
એક બીજા બ્રોકરેજ હાઉસ શેરખાનનું કહેવું છે કે જૂન ક્વાર્ટરમાં કંપનીના સિગરેટ કારોબારની આવલમાં વર્ષના આધાર પર 23 ટકા અને વિન સિગરેટ એફએમસીજી કારોબારની આવકમાં 16 ટકાનો વધારો જોવા મળી શકે છે. જ્યારે હોટેલ બિઝનેસની આવક વર્ષના આધાર પર 3.5 ગુણોનો વધારો દર્જ કરી શકે છે. તેના હેઠળ એગ્રી અને પેપર બિઝનેસના કારોબારમાં પણ પહેલા ક્વાર્ટરમાં 20 ટકાથી વધારાની ગ્રોથ જોવા મળી શકે છે.
શેરખાનનું માનવું છે કે પહેલા ક્વાર્ટરના પરિણામમાં શહરી અને ગ્રામીણ માંગની સ્થિતિ, વધતા કમ્પિટીશન, કાચા માલની વધાતી કિંમતોની સ્થિતિ, પેપેર અને એગ્રી કારોબારની આઉટલુક પર બજારની સૌથી વધારે ફોકસ રહેશે.