Ayodhya Flight Ticket: હાલમાં અયોધ્યા માટેની લગભગ બધી જ ફ્લાઈટની ટિકિટ ફુલ છે અથવા તો તેના ભાવ ખૂબ વધારે છે. તેથી સામાન્ય લોકો માટે પ્લેનમાં અયોધ્યા જવું થોડું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિમાં તમને જણાવીએ કે 10 દિવસ બાદ ફ્લાઈટ્સની ટિકિટ કેટલી સસ્તી થશે. અયોધ્યા જવા માટે લોકોની ભીડ જામી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ અને ટ્રેનનું ભાડું.
ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ જ વધારે
IRCTCની વેબસાઈટ અનુસાર, 29 જાન્યુઆરીએ અયોધ્યા માટેની ટ્રેનની ટિકિટ 1600 રૂપિયા હતો. હાલમાં અયોધ્યા જતી તમામ ફ્લાઈટ્સ અને ટ્રેનો ફૂલ જઈ રહી છે. આવી સ્થિતિમાં, તમે માર્ચ સુધી થોડા દિવસો પછી અયોધ્યા આવવાની યોજના બનાવી શકો છો.
થોડા દિવસ પછીના બુકિંગ પર ડિસ્કાઉન્ટ
જો તમે અયોધ્યા જવા માટે 10 દિવસ બાદ ટિકિટનું બુકિંગ કરાવશો તો તમને પ્લેનની ટિકિટ 3,000 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા સુધીમાં મળી જશે. આજથી 10 દિવસ બાદ એટલે કે 3 ફેબ્રુઆરીની વાત કરીએ તો દિલ્હીથી અયોધ્યાની ફ્લાઇટની ટિકિટ 3,522 રૂપિયાથી લઈને 4,408 રૂપિયાની વચ્ચે મળી રહી છે.