અલ્હાબાદ હાઈકોર્ટે આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર પોતાનો ચુકાદો આપતાં હિંદુ પક્ષની અરજીને મંજૂર કરી છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફતે કરાવવાની માંગને પણ મંજૂરી આપી છે.



