IPL 2024: રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા બનશે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન? | Moneycontrol Gujarati
Get App

IPL 2024: રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા બનશે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન?

IPL 2024: બે સિઝનમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન રહેલા હાર્દિક પંડ્યાએ હવે ફ્રેન્ચાઈઝી છોડી દીધી છે અને પોતાની જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને તેની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનાવી હતી. જ્યારે બીજી વખત પણ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. હવે મુંબઈએ હાર્દિકને ફરીથી ટીમમાં કેમ સામેલ કર્યો તે પ્રશ્ન ક્રિકેટ પ્રેમીઓને થઈ રહ્યો છે.

અપડેટેડ 01:16:51 PM Nov 28, 2023 પર
Story continues below Advertisement

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા સત્તાવાર રીતે મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે, જ્યારે કેમેરોન ગ્રીન હવે વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં રમતો જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે ગ્રીનનો ટ્રેડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે કર્યો છે, જ્યારે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડી દીધી છે. આ બંને ટ્રેડ કેશમાં થયા છે. ગ્રીન 17.5 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે ગયો. હાર્દિક પંડ્યા લાંબા સમયથી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ હાર્દિક પંડ્યા માટે ઘર વાપસી જેવું છે. જોકે, જ્યારે તે ગુજરાતનો કેપ્ટન હતો અને મુંબઈ પહેલાથી જ રોહિત કેપ્ટન છે, તો પછી તે શા માટે પાછો ફર્યો? આ ડીલ થોડી વિચિત્ર લાગે છે.

ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી છોડ્યા બાદ હાર્દિક પંડ્યા કેમ પાછો ફર્યો?

હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઈટન્સની પ્રથમ સિઝનમાં જ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો હતો. ગુજરાત ટાઈટન્સે તેને કેપ્ટન બનાવ્યો હતો. તેણે આત્મવિશ્વાસ સાથે તેમના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. હાર્દિકે 2022માં ગુજરાત ટાઈટન્સને તેની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનાવી હતી. જોકે, હાર્દિક મુંબઈ સાથે કેમ જોડાયો તે ઘણા ક્રિકેટપ્રેમીઓને સવાલ થઈ રહ્યો છે. આ ઉપરાંત હવે સવાલ એ પણ છે કે શું હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે તો શું મુંબઈ ઈન્ડિયન્સ પણ તેની કેપ્ટનશિપમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે? તો તેના પર ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાના એક વીડિયોમાં મોટી વાત કહી છે.


શું તે રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે?

આકાશ ચોપરાએ કહ્યું છે કે, હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો. તેણે એક સિઝનમાં ટીમને ટ્રોફી જીતાડી, જ્યારે બીજી સિઝનમાં ટીમ રનર્સઅપ રહી. કેશમાં મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવું થોડું વિચિત્ર છે. તો શું રોહિત શર્મા રહેશે મુંબઈનો કેપ્ટન? તો રોહિત શર્માનું શું થશે? તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ફ્રેન્ચાઈઝી પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે IPL ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક છે.

અહીં પણ મોટી ગેમ થવાની છે!

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેને ભારતીય ક્રિકેટ ટીમનો ભાવિ કેપ્ટન પણ માનવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા તેના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા સંયુક્ત રીતે યોજાનાર ટી20 વર્લ્ડ કપ રમશે. જોકે, રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ 2023માં જે રીતે કેપ્ટનશીપ કરી અને ઘણા રન નોંધાવ્યા તેનાથી વાતાવરણ થોડું બદલાઈ ગયું છે. આ સંભાવના વધી ગઈ છે કે ટીમ રોહિતની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ રમશે. જોકે, તે મોટાભાગે તેના પર નિર્ભર રહેશે કે તે રમે છે કે નહીં. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં રમવા ઈચ્છતો નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2023 1:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.