મથુરાની શાહી ઇદગાહ પરિસરમાં સર્વેને સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી દેખાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજીની ખારીજ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે ઇલાહાબાદ હાઇકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજૂમાં સ્થિત શાહી ઇદગાહનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
આદેશ પ્રમાણે કોર્ટની નિગરાણીમાં 3 એડવોકેટ કમિશ્નરની ટીમ પરિસરનો સર્વે કરશે. આ આદેશ પર સુપ્રીમ કોર્ટ પાસેથી રોકની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવવા માટે ના કહ્યું છે અને 9 જાન્યુઆરીએ સુનાવણીની તારીખ આપી છે. હવે 18 ડિસેમ્બરે ઇલાહાબાદ હાઇકોર્ટે કોર્ટ કમિશ્નરના નામ નક્કી કરશે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના મુખ્ય પક્ષકાર ભૃગુવંશી આશુતોષ પાંડેએ કહ્યું કે આ કરોડો હિન્દુઓની આસ્થાનો મામલો છે. ભગવાન ફક્ત આપણા છે. અયોધ્યા અમારી બની ગઈ છે અને હવે મથુરાનો વારો છે.