Uttarkashi Tunnel Rescue: ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 મજૂર ક્યારે જઈ શકશે ઘરે? ઋષિકેશ એમ્સએ આપી જાણકારી | Moneycontrol Gujarati
Get App

Uttarkashi Tunnel Rescue: ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 મજૂર ક્યારે જઈ શકશે ઘરે? ઋષિકેશ એમ્સએ આપી જાણકારી

એમ્સ-ઋષિકેશના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ પ્રોફેસર મીનુ સિંહે કહ્યું, 'તે એકદમ નોર્મલ છે, હું તેને પેશન્ટ પણ નહીં કહું. તેઓ એકદમ સામાન્ય અનુભવી રહ્યા છે, તેઓ ખૂબ જ સામાન્ય રીતે વર્તન કરી રહ્યા છે.

અપડેટેડ 03:29:04 PM Nov 30, 2023 પર
Story continues below Advertisement

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં તુટી ગયેલી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 લોકોનું ઋષિકેશ સ્થિત એમ્સમાં સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી રહ્યું છે અને આજે તેમને ઘરે પાછા મોકલી શકાય છે. હોસ્પિટલે કહ્યું કે તમામ કર્મચારીઓની હાલત સામાન્ય છે અને તેમની પ્રાથમિક તપાસ માત્ર કરવામાં આવી છે.

એમ્સ-ઋષિકેશના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ પ્રોફેસર, મીનુ સિંહે કહ્યું, 'તે એકદમ નોર્મલ છે, હું તેને પેશન્ટ પણ નહીં કહીશ. તેઓ એકદમ સામાન્ય અનુભવી રહ્યા છે, તેઓ ખૂબ જ સામાન્ય વર્તન કરી રહ્યા છે. તેનું બીપી, ઑક્સિજન - બધું સામાન્ય છે. અમે તેના ઇલેક્ટ્રોલાઇટ્સ અને તેના અન્ય રક્ત પરિમાણો જોવા માટે અમુક તપાસ કર્યા છે. આ રિપોર્ટ જલ્દી જ આવશે અને અમે તેનો ઇસીજી પણ કરીશું. આ જોવા માટે કે શું હૃદય પર કોઈ અસર તો નથી થયો.'

ડૉ. સિંહે કહ્યું, 'આ ખૂબ જ પ્રાથમિક તપાસ છે, જે અમારે કરવાની છે. અમે એક બુનિયાદી મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ કરીશું જેથી અમે પાછળથી તેનું પાલન કરી શકે અથવા શું આ દટનાનું તેના પર કોઈ દીર્ધરાલિક પ્રભાવ પડી શકે છે." આ સાથે તેણે કહ્યું કે તે બીમાર નથી અને તેને ઘરે મોકલવા પર આજે નિર્ણય લેવામાં આવશે.


જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની અનેક એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા લગભગ 17 દિવસના બચાવ અભિયાન બાદ મંગળવારે 41 કામદારોને ટનલ માંથી બચાવી લેવામાં આવ્યા હતા. તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં થોડો સમય રાખ્યા બાદ વધુ તપાસ માટે તેને એમ્સ ઋષિકેશ લાવવામાં આવ્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2023 3:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.