પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મોટા ફેરફાર: ખેડૂતોને કેવી રીતે મળશે ફાયદો?
Crop Insurance: સમયસર નુકસાન ભરપાઈ થશે અને પાક વીમાના દાવાઓનું નિવારણ 21 દિવસમાં થશે. રાજ્યની ચૂકથી રક્ષણ મળશે, રાજ્ય સરકારોની નિષ્ફળતા હવે ખેડૂતોના લાભને અસર નહીં કરે. તો રાજ્યના હિસ્સાની ચૂકના કિસ્સામાં, 12% વ્યાજ સાથેની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.
સમયસર નુકસાન ભરપાઈ થશે અને પાક વીમાના દાવાઓનું નિવારણ 21 દિવસમાં થશે.
Crop Insurance: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)માં મહત્વના ફેરફારો કરીને ખેડૂતોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ આ સુધારાઓની વિગતો આપતાં જણાવ્યું કે, આ ફેરફારો રાજ્ય સરકારોની ચૂકના કારણે ખેડૂતોને થતા નુકસાનને રોકવા અને તેમને યોગ્ય લાભ આપવા માટે કરવામાં આવ્યા છે. આ ઘોષણા રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલ દ્વારા સંસદમાં પૂછાયેલા સવાલના જવાબમાં કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશના ખેડૂતોને થયેલું નુકસાન
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, મોદી સરકારે પૂર્વની રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (NAIS)ને PMFBYમાં રૂપાંતરિત કરીને ખેડૂતોના નુકસાનના દાવાઓનું નિવારણ 21 દિવસમાં કરવાનો નિયમ બનાવ્યો હતો. જોકે, આંધ્રપ્રદેશમાં પૂર્વની જગન રેડ્ડી સરકારએ સતત 3 વર્ષ સુધી પાક વીમાના પ્રીમિયમમાં રાજ્યનો હિસ્સો ભરવામાં નિષ્ફળતા દર્શાવી હતી. આના કારણે આંધ્રપ્રદેશના ખેડૂતોને મોટું નુકસાન થયું, કારણ કે તેમને પાક વીમાનો લાભ ન મળી શક્યો.
નવા સુધારાઓ શું છે?
શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં કહ્યું કે, આંધ્રપ્રદેશના આ "ખરાબ અનુભવ"ને ધ્યાનમાં રાખીને PMFBYમાં મૂળભૂત સુધારા કરવામાં આવ્યા છે.
કેન્દ્રનો હિસ્સો નિશ્ચિત: કેન્દ્ર સરકાર હવે પાક વીમા માટે પોતાનો હિસ્સો ચૂકવશે, ભલે રાજ્ય સરકાર પોતાનો પ્રીમિયમ હિસ્સો ચૂકવે કે ન ચૂકવે.
12% વ્યાજની સજા: જો કોઈ રાજ્ય સરકાર પોતાનો હિસ્સો ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને 12%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
સમયસર લાભ: આ સુધારાઓનો હેતુ રાજ્ય સ્તરે થતી વિલંબ અને રાજકીય નિષ્ક્રિયતાને કારણે ખેડૂતોને થતા નુકસાનને રોકવાનો છે, જેથી તેમને સમયસર પાક વીમાનો લાભ મળી શકે.
ખેડૂતોને શું ફાયદો થશે?
સમયસર નુકસાન ભરપાઈ થશે અને પાક વીમાના દાવાઓનું નિવારણ 21 દિવસમાં થશે. રાજ્યની ચૂકથી રક્ષણ મળશે, રાજ્ય સરકારોની નિષ્ફળતા હવે ખેડૂતોના લાભને અસર નહીં કરે. તો રાજ્યના હિસ્સાની ચૂકના કિસ્સામાં, 12% વ્યાજ સાથેની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.
શા માટે જરૂરી હતા આ ફેરફાર?
આંધ્રપ્રદેશના ખેડૂતોને થયેલા નુકસાને સરકારને આ યોજનામાં સુધારા કરવા મજબૂર કર્યા. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવાનો અને રાજ્ય સરકારોની નિષ્ક્રિયતાને કારણે થતા નુકસાનથી બચાવવાનો છે. આ ફેરફારો ખેડૂતોના હિતમાં એક મોટું પગલું છે, જે ખેતીને વધુ સુરક્ષિત અને લાભદાયી બનાવશે.