રિયલ એસ્ટેટ રોકાણમાં 90% રોકાણકારોને થાય છે નુકસાન, શું તમે પણ એ જ ભૂલ કરી રહ્યા છો? | Moneycontrol Gujarati
Get App

રિયલ એસ્ટેટ રોકાણમાં 90% રોકાણકારોને થાય છે નુકસાન, શું તમે પણ એ જ ભૂલ કરી રહ્યા છો?

નિષ્ણાંતોએ ભારતીય રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની ભૂલોને પોઈન્ટ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે મોટાભાગના ઘર ખરીદનારા રિયલ એસ્ટેટ દ્વારા વેલ્થ ક્રિએટ કરવાને બદલે EMIનો બોજ પાળી રહ્યા છે.

અપડેટેડ 04:36:33 PM Jun 25, 2025 પર
Story continues below Advertisement
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પર બેટર રિટર્ન મેળવનારા ઇન્વેસ્ટર્સ ઇમોશનલ ડિસિઝન નથી લઈ રહ્યા. તેઓ કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રી-લોન્ચ દરમિયાન કરે છે.

રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટને સૌથી સેફ માનવામાં આવે છે. મોટાભાગના એક્સપર્ટ્સ કહે છે કે આમાં નુકસાનની શક્યતા ઓછી હોય છે, પરંતુ હકીકત એ નથી. રિયલ એસ્ટેટમાં પણ નુકસાન થાય છે, પરંતુ લોકોને તેનો ખ્યાલ આવતો નથી.

પ્રોપર્ટીના ભાવ આસમાને, છતાં નુકસાન કેમ?

છેલ્લા ચાર વર્ષમાં દેશના મોટાભાગના શહેરોમાં પ્રોપર્ટીના ભાવ ડબલથી ટ્રિપલ થઈ ગયા છે. અમદાવાદ હોય કે મુંબઈ, દિલ્હી હોય કે ગુરુગ્રામથી લઈને નોઈડા સુધીમાં 2BHK ફ્લેટની કિંમત લાખો, કરોડોમાં પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટમાં આવેલી જબરદસ્ત તેજીનો ફાયદો કેટલાક ઇન્વેસ્ટર્સને ચોક્કસ મળ્યો છે, પરંતુ ઘણા બધા આ તેજીનો ફાયદો ઉઠાવવામાં ચૂકી ગયા છે. નિષ્ણાંતોના મતે ભારતમાં 90% રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સને નુકસાન થઈ રહ્યું છે. માત્ર 1% જ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીને ફાયદો ઉઠાવી રહ્યા છે. આખરે, શું કારણ છે કે ઘણા લોકોને રિયલ એસ્ટેટમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ પર નુકસાન થઈ રહ્યું છે? ક્યાંક તમે પણ તો તે લોકોમાં શામેલ નથી ને? ચાલો, સમજવાનો પ્રયાસ કરીએ.

રોકાણકારો ક્યાં ભૂલ કરી રહ્યા છે?

નિષ્ણાંતોએ ભારતીય રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની ભૂલોને પોઈન્ટ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે મોટાભાગના ઘર ખરીદનારા રિયલ એસ્ટેટ દ્વારા વેલ્થ ક્રિએટ કરવાને બદલે EMIનો બોજ પાળી રહ્યા છે. આની પાછળનું કારણ એ છે કે તેઓ ખોટા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તેઓ ખોટા સમયે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તેઓ લોજિકલ નહીં, પરંતુ ઇમોશનલ ડિસિઝન લઈ રહ્યા છે. આ ચક્કરમાં તેઓ ખોટો નિર્ણય લઈ રહ્યા છે અને તેની કિંમત તેમને ફાઇનાન્સિયલી ચૂકવવી પડી રહી છે. તેમણે લખ્યું, "તમે એક દિવસમાં સાત પ્રોજેક્ટ જોયા, પ્રતિ ચોરસ ફૂટ કિંમત વિશે જ પૂછ્યું અને સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપનારા બ્રોકરને પસંદ કર્યો. આ ઇન્વેસ્ટમેન્ટ નથી, જુગાર છે."


ફાયદો કમાનારા રોકાણકારો શું કરી રહ્યા છે?

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પર બેટર રિટર્ન મેળવનારા ઇન્વેસ્ટર્સ ઇમોશનલ ડિસિઝન નથી લઈ રહ્યા. તેઓ કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રી-લોન્ચ દરમિયાન કરે છે. ઇન્વેસ્ટમેન્ટ પહેલા સખત નેગોશિયેશન કરે છે, અને 3-5 વર્ષની અંદર એક્ઝિટ થવાની યોજના બનાવે છે. જો તમને પણ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પર નુકસાન નહીં, પરંતુ ફાયદો જોઈતો હોય, તો તમારે સ્ટ્રેટેજી હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. કોઈ બ્રોકરની સલાહ પર ફ્લેટ કે શોપ ખરીદવાથી તમે કેપિટલ એપ્રિસિએશન નહીં મેળવી શકો. આ માટે તમારી પાસે સ્ટ્રોંગ સ્ટ્રેટેજી હોવી જોઈએ. આમ કરવાથી જ તમે રિયલ એસ્ટેટમાં બેટર રિટર્ન લઈ શકશો.

આ પણ વાંચો-UPI યુઝર્સ માટે ખુશખબર: 15 જુલાઈથી ફેલ્ડ ટ્રાન્ઝેક્શનનું તુરંત મળશે રિફંડ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 25, 2025 4:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.