શીલા ફોમના સીએમડી, રાહુલ ગૌતમનું કહેવું છે કે 2 કંપનીઓ સાથે અધિગ્રહણ કરી રહી છે. કુર્લોન અને હાઉસ ઑફ કિરાયા સાથે કંપની અધિગ્રહણ કરશે. કંપની પાસેથી હાલમાં 800 કરોડ રૂપિયાનું ફંડ છે. કંપની અધિગ્રહણ કેશ સાથે દેવું કરીને અધિગ્રહણ પૂરૂ કરશે. કોવિડ બાદ પ્રોડક્ટરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. 60 ટકા લોકો ચટાઈ, કોટન કુશન, મેટરેસેસનો ઉપયોગ કરે છે.
રાહુલ ગૌતમે આગળ કહ્યું છે કે ફર્લેન્કો ઑનલાઈન ફર્નિચર કંપનીમાં મજબૂત પડક ધરાવે છે. કુર્લોનને અમે ડેટ ફ્રી ખરીદી રહ્યા છીએ. બોર્ડે કુર્લોન ઇએનટીમાં હિસ્સો અધિગ્રહણ કરવા મંજૂરી આપી છે. કુર્લોન ઇએનટીમાં 94.66 ટકા હિસ્સેદારી 2150 કરોડ રૂપિયામાં ખરીદશે. ઓનલાઈન ફર્નિચર કંપની હાઉસ ઓફ કિરાયા (ફર્લેન્કો)નું કંપની અધિગ્રહણ કરશે.
રાહુલ ગૌતમના મતે હાઉસ ઓફ કિરાયાને 300 કરોડ રૂપિયામાં 35 ટકા હિસ્સો ખરીદશે. કંપનીની રેવેન્યુ 50 ટકા વધવાની અપેક્ષા જેમાં 35 ટકા રેવેન્યુ યોગદાન અધિગ્રહણથી છે. હાઉસ ઓફ કિરાયા સાથે અધિગ્રહણથી બ્રાન્ડેડ ફર્નિચર માર્કેટમાં પ્રવેશ માટે મદદ મળશે. કેઈએલ મુખ્યત્વે ફોમ અને coir-બેસ્ડ કમ્ફર્ટ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે.
રાહુલ ગૌતમના અનુસાર કંપની કુશન, ફર્નિચર, મેટરેસેસ, પિલો અને વકરિંગ કેટેરગી પ્રોડક્ટ્સ બનાવે છે. અધિગ્રણ fragmented માર્કેટને એકીકૃત કરશે. સાઉથ અને ઈસ્ટ ઈન્ડિયામાં કુર્લોન મજબૂત પકડ ધરાવે છે. કંપનીમાં કેશ 800 કરોડ રૂપિયા રહ્યું છે. બેકીનું કામ ડેટ અને ઈક્વિટીમાં મિશ્રથી કરવામાં છે. તેના પર નિર્ણય લેવામાં સપ્તાહ અને દસ દિવસ લાગી શકે છે.
રાહુલ ગૌતમના મુજબ જેવી રીતે જીડીપીમાં સુધાર આવશે તેમાં તેની ખપત પણ વધશે. જીડીપી 7-8 ટકા પાસે રહે છે. હજી પણ દેશમાં લોકો કોટન ધરી, ચટાઈ, આવા પ્રાકારના પ્રોડક્ટનું ઉપયોગ કરે છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.
રાહુલ ગૌતમે વધુમાં કહ્યું કે કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.