Bank of Baroda Q4 Result: કંપનીનો નફો 2.7 ગણો વધ્યો, વ્યાજ આવક પણ વધી, બેન્કે ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત - Bank of Baroda Q4 Result: Company's profit increased by 2.7 times, interest income also increased, bank announced dividend | Moneycontrol Gujarati
Get App

Bank of Baroda Q4 Result: કંપનીનો નફો 2.7 ગણો વધ્યો, વ્યાજ આવક પણ વધી, બેન્કે ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત

Bank of Baroda Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેંડઅલોન નફો 2.7 ગણો વધીને 4775.33 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કની નેટ ઈનકમ 11,525 કરોડ રૂપિયા પર આવી ગઈ

અપડેટેડ 04:07:55 PM May 16, 2023 પર
Story continues below Advertisement
બેન્ક ઑફ બરોડાએ કહ્યુ કે બેન્કના નેટ એનપીએ રેશ્યો Q4FY22 માં 1.72 ટકાની તુલનામાં Q4FY23 માં 0.89 ટકાના રેકૉર્ડ નિચલા સ્તર પર છે.

Bank of Baroda Q4 Result: પબ્લિક સેક્ટરના બેન્ક ઑફ બરોડા (Bank of Baroda) એ આજે 16 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેંડઅલોન નફો 2.7 ગણો વધીને 4775.33 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગત વર્ષની સમાન ક્વાર્ટરમાં આ આંકડા 1778.77 કરોડ રૂપિયા હતા. માર્ચ ક્વાર્ટરમાં બેન્કની નેટ ઈનકમ 11,525 કરોડ રૂપિયા પર આવી ગઈ, જે ગત વર્ષના આ ક્વાર્ટરના મુકાબલે 33.8 ટકા વધારે છે.

કેવા રહ્યા પરિણામ

FY23 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની ઑપરેટિંગ આવક 14,991 કરોડ રૂપિયા રહી. તેમા વર્ષના આધાર પર 34.6 ટકાનો વધારો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં ગ્લોબલ NIM 45 બેસિસ પોઈન્ટ વધીને 3.53 ટકા પર આવી ગઈ. જ્યારે, ડોમેસ્ટિક NIM 51 બેસિસ પોઈન્ટ વધીને 3.65 ટકા રહી.


FY23 ના ચોથા ક્વાર્ટરમાં અસેટ પર રિટર્ન (એનુઅલ) 1.34 ટકા પર આવી ગયા, જો કે FY22 ના ચોથા ક્વાર્ટરમાં 0.57 ટકા હતો. નાણાકીય વર્ષ 23 માં ઈક્વિટી પર રિટર્ન (એનુઅલ) 648 બેસિસ પોઈન્ટ વધીને 18.34 ટકા થઈ ગયા.

NPA માં સુધાર

FY23 ની માર્ચ ક્વાર્ટરમાં ગ્રૉસ NPA રેશ્યો સુધારાની સાથે 3.79 ટકા થઈ ગયો, જ્યારે Q4FY22 માં તે 6.61 ટકા હતો. બેન્ક ઑફ બરોડાએ કહ્યુ કે બેન્કના નેટ એનપીએ રેશ્યો Q4FY22 માં 1.72 ટકાની તુલનામાં Q4FY23 માં 0.89 ટકાના રેકૉર્ડ નિચલા સ્તર પર છે. બેન્કના પ્રોવિઝન કવરેજ રેશ્યો 92.43 ટકા રહ્યો. Q4FY22 માં 2.52 ટકાના મુકાબલે Q4FY23 માં સ્લિપેજ રેશ્યો ઘટીને 1.02 ટકા થઈ ગયો.

શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત

બેન્કના બોર્ડે પોતાના શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. શેરધારકોને નાણાકીય વર્ષ 2022-23 માં પ્રતિ શેર 5.50 રૂપિયાના ડિવિડન્ડ આપવામાં આવશે. આવનાર એનુઅલ જનરલ મીટિંગમાં તેની મંજૂરી આપવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: May 16, 2023 4:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.