Dr Lal PathLabs Q4 Result: નફો 7.5 ટકાથી ઘટીને 56.7 કરોડ રૂપિયા પર રહ્યો, આવકમાં જોવા મળી મામૂલી તેજી - Dr Lal PathLabs Q4 Result: Profit down 7.5 percent to Rs 56.7 crore, marginal rise in revenue | Moneycontrol Gujarati
Get App

Dr Lal PathLabs Q4 Result: નફો 7.5 ટકાથી ઘટીને 56.7 કરોડ રૂપિયા પર રહ્યો, આવકમાં જોવા મળી મામૂલી તેજી

Dr Lal PathLabs Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 7.5 ટકા ઘટીને 56.7 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે પહેલા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં કંપનીનો નફો 61.3 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV18ના પોલમાં કંપનીનો નફો 65.7 કરોડ રૂપિયા પર રહેવાનો અનુામન કર્યા હતો.

અપડેટેડ 05:16:06 PM May 11, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Dr Lal PathLabs Q4 Result: હૉસ્પિટલ અને હેલ્થકેર સર્વિસેઝ સેક્ટરની કંપીન ડો. લાલ પેથલેબ્સ (Dr Lal Pathlabs)એ તેના ક્વાર્ટર પરિણામ આજે જાહેરાત કરી છે. જો કે પરિણામ એનાલિસ્ટોના અનુસારથી ઓછી રહી છે. જેના કારણે શેર આજે 2 ટકાથી વધુંના ઘટાડો લઇને બંધ થયો છે. ખરેખર 31 માર્ચ 2023એ સમાપ્ત થઈ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 7.5 ટકા ઘટીને 56.7 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે ગત નાણાકીય વર્ષના આ સમય ગાળામાં કંપનીનો નફો 61.3 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV18ના પોલમાં કંપનીનો નફો 65.7 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યા હતો.

    રેવેન્યૂમાં મામૂલી વધારો

    કંપનીની આવકની વાત કરે તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર થોડો વધતો જોવા મળ્યો છે અને 1.1 ટકા વધીને 491 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમય ગાળામાં કંપનીની રેવેન્યૂ 485.5 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18ના પોલમાં તેના 522 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન કર્યા હતો.


    માર્જિનમાં ઘટાડો

    ચોથા ક્વાર્ટરમાં ડૉ. લાલ પૈથ લૈબ્સના EBITDA 115.6 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે તેના 127 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન હતો. જ્યારે, છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો Ebitda 121.1 કરોડ રૂપિયા પર રહ્યા હતો. ચોથા ક્વાર્ટરમાં ડૉ. લાલ પૈથ લૈબ્સના EBITDA માર્જિન 23.5 ટકા પર રહ્યા છે. જ્યારે તેના 24.3 ટકા પર રહેવાનો અનુમાન હતો. જ્યારે, છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીના EBitda માર્જિન 24.9 ટકા પર રહ્યા હતા.

    સ્ટૉકની ચાલ પર નજર કરે તો કારોબારી સત્રમાં ડૉ.લાલ પૈથ લેબ્સ એનએસઈ પર 43.50 રૂપિયા એટલે કે 2.23 ટકાના ઘટાડા સાથે 1906.35 ના સ્તર પર બંધ થયો છે. સ્ટૉકના દિવસના લો 1888.10 રૂપિયા અને દિવસના હાઈ 1969.95 રૂપિયા છે. આ સ્ટૉક આજે 1950.00 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે ગઈકાલેના કારોબારમાં 1949.85 રૂપિયા ના સ્તર પર બંધ થયો હતો. સ્ટૉકના વૉલ્યૂમ 432,047 શેરોનું રહ્યું છે. કંપનીના માર્કેટ કેપ 15895 કરોડ રૂપિયા છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 11, 2023 5:16 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.