Karnataka Bank Q3: નફો 10.1% વધીને ₹331.1 કરોડ, પરંતુ વ્યાજ આવકમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Karnataka Bank Q3: નફો 10.1% વધીને ₹331.1 કરોડ, પરંતુ વ્યાજ આવકમાં ઘટાડો

Karnataka Bank Q3 Results: ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકના ગ્રૉસ એનપીએ 3.47 ટકાથી વધીને 3.64 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકના નેટ એનપીએ 1.36 ટકાથી વધીને 1.55 ટકા રહ્યા છે.

અપડેટેડ 06:23:46 PM Jan 23, 2024 પર
Story continues below Advertisement
Karnataka Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકનો નફો 10.1 ટકા વધીને 331.1 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Karnataka Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકનો નફો 10.1 ટકા વધીને 331.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકનો નફો 300.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકની વ્યાજ આવક 0.9 ટકા ઘટીને 827.6 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકની વ્યાજ આવક 834.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકના ગ્રૉસ એનપીએ 3.47 ટકાથી વધીને 3.64 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટકા બેંકના નેટ એનપીએ 1.36 ટકાથી વધીને 1.55 ટકા રહ્યા છે.


રૂપિયામાં કર્ણાટકા બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 2,324.2 કરોડ રૂપિયાથી વધીને 2,536.7 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર કર્ણાટકા બેંકના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 888.9 કરોડ રૂપિયાથી વધીને 1,060 કરોડ રૂપિયા રહ્યા છે.

Axis Bank Q3 Results: નફો 3.7% વધ્યો, વ્યાજ આવક 9.4% વધી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2024 6:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.