Ujjivan Small Finance Bank Q2 Results: ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4% વધીને ₹328 કરોડ, વ્યાજ આવક 24.1% વધી | Moneycontrol Gujarati
Get App

Ujjivan Small Finance Bank Q2 Results: ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4% વધીને ₹328 કરોડ, વ્યાજ આવક 24.1% વધી

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4 ટકા વધીને 327.7 કરોડ રૂપિયા થઈ ગયો છે.

અપડેટેડ 03:34:17 PM Oct 27, 2023 પર
Story continues below Advertisement
પ્રાઈવેટ સેક્ટર બેંક ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંક એ આજે એટલે કે 27 ઑક્ટોબરના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Ujjivan Small Finance Bank Q2 Results: પ્રાઈવેટ સેક્ટર બેંક ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંક એ આજે એટલે કે 27 ઑક્ટોબરના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા. બેંક દ્વારા રજુ થયેલા આંકડાઓના મુજબ નફો 328 કરોડ રૂપિયા થયો. જ્યારે વ્યાજ આવક 823.3 કરોડ રૂપિયા પર પહોંચી છે. ત્યારે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ના ગ્રોસ નૉન-પરફૉર્મિંગ અસેટ (GNPA) માં પણ ઘટાડો જોવાને મળ્યો.

    નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4 ટકા વધીને 327.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 294.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકની વ્યાજ આવક 24.1 ટકા વધીને 823.3 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકની વ્યાજ આવક 663.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


    ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના ગ્રૉસ એનપીએ 2.62 ટકાથી વધીને 2.35 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સના નેટ એનપીએ 0.06 ટકાથી વધીને 0.09 ટકા રહ્યા છે.

    રૂપિયામાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 596.5 કરોડ રૂપિયાથી ઘટીને 585.8 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના બીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 12.6 કરોડ રૂપિયાથી વધીને 21.8 કરોડ રૂપિયા રહ્યા છે.

    ખાનગી બેંકના ઉજ્જીવન ફાઈનાન્સ બેંકના પરિણામ બજારને પસંદ આવ્યા છે. બેંકના શેરોમાં વધારો જોવાને મળ્યો. આજે બપોરે 3:29 વાગ્યે શેર 0.47 ટકાની તેજી દેખાણી. તે દરમ્યાન 0.47 ટકા એટલે કે 0.25 અંક વધીને 53.55 ના સ્તર પર કારોબાર કરતા જોવામાં આવ્યા. તેના 52 સપ્તાહના ઉચ્ચ સ્તર 61.40 રૂપિયા જ્યારે 52 સપ્તાહના નિચલા સ્તર 22.75 રૂપિયા રહ્યા છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 27, 2023 3:34 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.