Khodaldham cancer hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું કર્યું ભૂમિપૂજન, PM મોદીએ વીડિયો કોન્ફરન્સ કર્યું સંબોધન | Moneycontrol Gujarati
Get App

Khodaldham cancer hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું કર્યું ભૂમિપૂજન, PM મોદીએ વીડિયો કોન્ફરન્સ કર્યું સંબોધન

Khodaldham cancer hospital:ખોડલધામ કાગવડના સાતમા પાટોત્સવ તથા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સમાજ સેવા માટે ધન અને દાનની સરવાણી માતાજીના આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવું ભવ્ય આયોજન થતું હોય છે.

અપડેટેડ 04:17:48 PM Jan 21, 2024 પર
Story continues below Advertisement
રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે આધુનિક કેન્સર હોસ્પિટલ બનશે.

Khodaldham cancer hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈભાઈ મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું. સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. આ હોસ્પિટલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ થશે તેમ જણાવતા પ્રધાનમંત્રી શ્રી ઉમેર્યું હતું કે આ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે.

સરકારે છેલ્લા નવ વર્ષોમાં ૩૦ જેટલા કેન્સર હોસ્પિટલ શરૂ કર્યા

લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સેવા, સંસ્કાર અને સમર્પણના સંકલ્પ સાથે શરૂ કરાયેલ ખોડલધામ ટ્રસ્ટે શિક્ષા, કૃષિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં ઉદાહરણીય કામગીરી કરીને અનેક લોકોના જીવન બદલવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્સર સહિતની ગંભીર બીમારીઓના ઈલાજમાં મોટો ખર્ચ થઈ જતો હોય છે ત્યારે દર્દી અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સરકારે છેલ્લા નવ વર્ષોમાં ૩૦ જેટલા કેન્સર હોસ્પિટલ શરૂ કર્યા છે અને ૧૦ નવી કેન્સર હોસ્પિટલ બની રહ્યા છે. કેન્સરના ઈલાજમાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઇ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે દોઢ લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે.


ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં આવતીકાલે ભગવાન રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેના પૂર્વ દિવસે આદ્યશક્તિ અને રાષ્ટ્રભક્તિના સંગમ એવા ખોડલધામમાં આ અનોખા અવસરના સાક્ષી બનવાની તક આપણને મળી છે. ખોડલધામ એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખોડલધામે વિવિધ સેવાકીય કાર્યો થકી "જનસેવા એ જ પ્રભુસેવા"નું ધ્યેય સાર્થક કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં શહેરી, ગ્રામ્ય એમ દરેક વિસ્તારના વિકાસ, દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી છે અને ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. રાજ્યની બે દાયકાની વિકાસ યાત્રાના સારથી એવા નરેન્દ્રભાઈભાઈ મોદીના દિશાનિર્દેશમાં આગળ વધતા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

આ પણ વાંચો-Least Polluted Cities in India: ભારતના આ શહેરોમાં છે નગણ્ય પ્રદૂષણ, ખૂબસુરતીમાં પણ ઉતરતા નથી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 21, 2024 4:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.