ભારતીય રૂપિયાની વૈશ્વિક તાકાત: RBIના ત્રણ મોટા નિર્ણયો બદલશે વેપારની તસવીર
Indian Rupee: ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રીય વેપારમાં મજબૂત બની રહ્યો છે. RBIના ત્રણ મોટા નિર્ણયો ડૉલર પર નિર્ભરતા ઘટાડશે અને ભારતીય અર્થવ્યવસ્થાને નવી તાકાત આપશે. જાણો આ નિર્ણયો અને તેની અસર.
ભારતની અર્થવ્યવસ્થા દિવસે દિવસે મજબૂત બની રહી છે, અને તેનો પ્રભાવ હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ જોવા મળી રહ્યો છે.
Indian Rupee: ભારતની અર્થવ્યવસ્થા દિવસે દિવસે મજબૂત બની રહી છે, અને તેનો પ્રભાવ હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તાજેતરમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જે ભારતીય રૂપિયાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી આપશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ દિવસની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આ નિર્ણયો જાહેર કર્યા, જેનો હેતુ વિદેશી મુદ્રા પર નિર્ભરતા ઘટાડવાનો અને રૂપિયાને વેપારમાં પ્રોત્સાહન આપવાનો છે.
RBIના ત્રણ મોટા નિર્ણયો
1) ટ્રાન્સફરન્ટ રેફરન્સ રેટ
ભારતના મોટા વેપારી સાથી દેશોની મુદ્રાઓ માટે પારદર્શી સંદર્ભ દર નક્કી કરવામાં આવશે. આનાથી રૂપિયામાં થતા વેપારમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે, જેનાથી વેપારીઓ રૂપિયામાં વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત થશે.
2) સ્પેશલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA)
કોર્પોરેટ બોન્ડ અને વાણિજ્યિક પેપર્સમાં રૂપિયામાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ એકાઉન્ટની વ્યાપક મંજૂરી આપવામાં આવશે. આ એકાઉન્ટ દ્વારા વિદેશી બેન્કો ભારતીય બેન્કો સાથે રૂપિયામાં સીધો વેપાર નિપટારો કરી શકશે. આનાથી ડૉલર પર નિર્ભરતા ઘટશે અને અર્થવ્યવસ્થા મુદ્રા દરની અસ્થિરતા અને આર્થિક જોખમોથી રક્ષણ મળશે.
3) પડોશી દેશોને રૂપિયામાં લોન
ભારતીય બેન્કો હવે ભૂટાન, નેપાળ અને શ્રીલંકાના પ્રવાસી નાગરિકોને દ્વિપક્ષીય વેપાર માટે રૂપિયામાં લોન આપી શકશે. આ પગલું નાના પડોશી દેશો સાથે આર્થિક સંબંધોને મજબૂત કરશે અને રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવશે.
અર્થવ્યવસ્થા પર અસર
આ નિર્ણયો ચાલુ ખાતાની ખોટને નિયંત્રણમાં રાખશે અને અર્થવ્યવસ્થાને બાહ્ય આંચકાઓથી સુરક્ષિત કરશે. RBIના જણાવ્યા મુજબ, ભારતનું એક્સટર્નલ સેક્ટર્સ હવે વધુ મજબૂત છે, અને જરૂર પડે તો વધુ પગલાં લેવામાં આવશે. ગવર્નર સંજય મલ્હોત્રાએ GDP ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.8% કર્યો છે, જ્યારે મુદ્રાસ્ફીતિ આગામી ત્રિમાસિક ગાળામાં 2.6%થી 4.5%ની વચ્ચે રહેવાની શક્યતા છે. આ ભારતની આર્થિક સ્થિરતા અને વિકાસ માટે સકારાત્મક સંકેત છે.