Terrorist encounter: પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, 6 અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર
Jammu-Kashmir terrorist encounter: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલર જંગલમાં એક એન્કાઉન્ટરમાં, સુરક્ષા દળોએ લશ્કરના ત્રણ ટોચના આતંકવાદીઓને ઠાર માર્યા. જેમાં શાહિદ કુટ્ટે, અદનાન શફી ડાર અને આમિર બશીરનો સમાવેશ થાય છે.
પુંછ વિસ્તારમાં ઓપરેશન મદાહેવ હેઠળ સુરક્ષાબળોએ લશ્કરના 2 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા.
Jammu-Kashmir terrorist encounter: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષાબળોની નિર્ણાયક કાર્યવાહી ચાલુ છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાબળોએ 6 અલગ-અલગ અથડામણોમાં 21 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન્સમાં ભારતીય સેના, CRPF, BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે ભાગ લીધો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક હતા.
કુલગામમાં ઓપરેશન અકાલ: લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
શ્રીનગરથી લગભગ 70 કિલોમીટર દૂર કુલગામમાં ઓપરેશન અકાલ હેઠળ સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં કુલગામના ઝાકિર અહમદ ગની, સોપોરના કેટેગરી-એ આતંકવાદી આદિલ રહેમાન ડેન્ટુ અને પુલવામાના હરીશ ડારનો સમાવેશ થાય છે. સુરક્ષાબળોના જણાવ્યા અનુસાર આ ગ્રૂપ સ્થાનિક ભરતી અને સરહદ પારથી ઘૂસણખોરી માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા માટે ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું.
સાંબા જિલ્લામાં થયેલી એક મુઠભેડમાં BSFએ જૈશ-એ-મોહમ્મદના 7 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા. આ મુઠભેડ જૈશ-એ-મોહમ્મદ નેટવર્ક માટે તાજેતરના મહિનાઓમાં સૌથી ઘાતક સાબિત થઈ. અધિકારીઓએ ફોરેન્સિક અને બાયોમેટ્રિક તપાસ દ્વારા તેમની ઓળખની પુષ્ટિ થાય ત્યાં સુધી તેમના નામ જાહેર નથી કર્યા.
શોપિયાંના કેલર જંગલમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
શોપિયાં જિલ્લાના કેલર જંગલમાં થયેલી મુઠભેડમાં સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ મુખ્ય આતંકવાદીઓ શાહિદ કુટ્ટે, અદનાન શફી ડાર અને આમિર બશીરને ઠાર કર્યા.
ત્રાલમાં જૈશના 3 સ્થાનિક આતંકવાદીઓ ઠાર
ત્રાલના જંગલી વિસ્તારમાં થયેલી મુઠભેડમાં સુરક્ષાબળોએ જૈશ-એ-મોહમ્મદના 3 સ્થાનિક આતંકવાદીઓ આસિફ અહમદ શેખ, આમિર નઝીર વાણી અને યાવર અહમદ ભટ્ટને ઠાર કર્યા.
ઓપરેશન મહાદેવ: પહેલગામ હુમલાના ગુનેગારો ઠાર
મુલનાર ગામમાં ઓપરેશન મહાદેવ હેઠળ સુરક્ષાબળોએ લશ્કરના 3 પાકિસ્તાની આતંકવાદીઓ સુલેમાન, અફગાન અને ઝિબરાનને ઠાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પુષ્ટિ કરી કે આ ત્રણેય આતંકવાદીઓ પહેલગામ નરસંહારના ગુનેગારો હતા.
પુંછમાં ઓપરેશન મદાહેવ: 2 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર
પુંછ વિસ્તારમાં ઓપરેશન મદાહેવ હેઠળ સુરક્ષાબળોએ લશ્કરના 2 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા. આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ઘૂસણખોરી કરીને આવ્યા હતા. તેમના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ અથડામણો દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો આતંકવાદ સામે કેટલી તાકાતથી લડી રહ્યા છે. આ ઓપરેશન્સથી ન માત્ર આતંકી નેટવર્કને નુકસાન થયું છે, પરંતુ સ્થાનિક સુરક્ષા પણ મજબૂત થઈ છે.