Pankaj Udhas Death: એન્ટરટેઈનમેન્ટ જગતથી ઘણાં જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લેજેન્ડરી ગાયક પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નાયાબ ઉધાસે સિંગરના મૃત્યુના સમાચાર શેર કર્યા. પોસ્ટમાં તેમણે લખ્યું- ઘણાં જ દુઃખની સાથે અમારે તમને એ જણાવવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, 2024નાં રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 10 દિવસ પહેલાં જ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.
પંકજ ઉધાસ લાંબા સમયથી હતા બિમાર
નાનપણથી જ શરુ થઈ હતી મ્યુઝિકલ સફર
પંકજ ઉધાસની મ્યૂઝિકલ કરિયરની શરુઆત તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારથી જ થઈ ગઈ હતી. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું. તે જોતાં જ તેઓ પણ સંગીતની દુનિયામાં આવ્યા. પંકજ ઉધાસે જણાવ્યું હતું કે- સંગીતનું પહેલું એક્સપોઝર સ્કૂલમાં પ્રાર્થના કરવાથી શરુ થયું હતું. તેમણે સંગીતની શરુઆત સ્કૂલમાં થનારી પ્રેયરથી કરી હતી.
1980માં તેમણું પહેલું આલ્બમ 'આહટ' આવ્યું હતું. જેમાં અનેક ગઝલ તેમણે ગાઈ હતી. પંકજ ઉધાસ પોતાની ગઝલ ગાયિકી માટે ફેમસ થયા હતા. તેમના પ્રખ્યાત ગીતોમાં-જીએ તો જીએ કૈસે બિન આપકે, ચિઠ્ઠી આઈ હૈ, ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર...સામેલ છે.