Farmers Protest: સરકારના પ્રસ્તાવ પર કોઈ સમજૂતી નહીં, 21 ફેબ્રુઆરીથી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર 23 પાક પર એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યનો ફૉર્મૂલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થવાનો.
પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આ દરમિયાન સોમવારે શંભુ બૉર્ડર પર ખેડૂત નેતાઓની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો છે. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર 23 પાક પર એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યનો ફૉર્મૂલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થવાનો.
દલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે જે પ્રસ્તાવ આપ્યા છે, તેનું નાપ-તોલ કરે તો તેમાં કઈ પણ નથી દેખાતું. અમારી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનો તાડનું તેલ (Palm Oil) બાહરથી ખરીદ્યા છે પરંતુ આટલી ધનરાશિ ખેતીના માટે નક્કી કરે તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત.
ખેડૂત આગેવાનોએ શું કહ્યું
ખેડૂત સંગઠનોની સોમવારે બેઠક બાદ પ્રેસ કૉન્ફ્રેન્સ કરી હતી. આ કૉન્ફ્રેન્સમાં ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે અમે ચર્ચા બાદ નિર્ણય લીધો છે કે સરકારને જે પ્રસ્તાવ આપ્યો છે, જો તેમાં નાપ-તોલ કરે તો કઈ પણ દેખાતું નથી. મંત્રી જી બતાવી રહ્યા હતા કે સરકાર દાળો પર MSPની ગેરેન્ટી આપે છે તો દોઢ લાખ કરોડ ખર્ચ થશે. જો તમામ નિર્ણય પર MSP આપે તો 1.75 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે તે માટે બાકી પાકને છોડવું યોગ્ય નથી.
દલ્લેવાલે કહ્યું કે સરકાર 1.75 લાખ કરોડ રૂપિયામાં પામ ઑઈલની ખરીદી કરે છે, જો આ પૈસા સરકાર MSP પર આપે તો સારું રહેશે. સરકારે કહ્યું કે તે કઠોળ અને અન્ય પાકો પર ખરીદીની ગેરંટી આપશે, જેઓ ડાીવર્સિફિક્શન કરશે, એટલે કે જે ધાન છોડીને મૂંગ લગાવશે તેમણે જ મળશે. આ પ્રસ્તાવમાં કશું દેખાતું નથી.
પ્રસ્તાવ ખેડૂતોના પક્ષમાં નથી
દલ્લેવાલે કહ્યું કે આ પ્રસ્તાવ ખેડૂતોના પક્ષમાં નથી. અમે પ્રસાતવને રિજેક્ટ કરીએ છીએ. ભગવંત માનને આ મીટિંગમાં બેસાડવામાં આવ્યું હતું કે અમારા સીએમ અમારી સમસ્યા સાંભળશે કે તેમની જમીન પર ઇન્ટરનેટ કામ નથી કરતું. તેમના રાજ્યની જમીન પર ટીયર ગેસના ગોલા નાકવામાં આવી રહ્યા છે. હરિયાણા ડીજીપી પણ કહી રહ્યા છે કે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા નથી. જો એમ હોય તો શું અહીં તેની જાણકારીના વિના 400 લોકોને ઘાયલ કરવામાં આવ્યો છે. જેણે પણ કર્યું તેના પર સુપ્રીમ કોર્ટ કાર્રવાઈ કરો. સરકાર ઇચ્છે છે કે અમે આક્રમક બનીએ પરંતુ જો તે સમસ્યાનો ઉકેલ ન લાવે તો અમને આરામથી દિલ્હી જવા દો.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમે પ્રસ્તાવને રદ કર્યું છે. જો કોઈ પ્રથમ દાળોને નહીં ઉગાવી રહ્યા તો તેના પ્રસ્તાવમાં નહીં આવશે. મીટિંગમાં સરકારે યુક્તિ કરવાનું કામ કર્યું છે. સરકારના ઈરાદામાં ખામી છે. નિયમ સાફ હોય તો આવું ન કર્યું હોત. સરકારે MSP ગેરંટી કાયદો 23 પાક પર બનાવી આપે અને જે પાક વેચશે તેમા પર પણ સ્ટડી કરૌીને તેના પર પણ આપે. અમે વિચાર વિમર્શ કર્યા બાદ આપ્યો કે આ પ્રસ્તાવને રિજેક્ટ કરે છે. C2+50નો ફૉર્મ્યુલા પર સરકાર શું કરી રહી છે? લોન માફી પર? મનરેગા મજબૂતી પર? સરકારના મંત્રીઓને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે તેઓ પહેલા આ પ્રસ્તાવ પર વિચાર કરો.