Traffic Advisory: ખેડૂતોના આંદોલનથી વધ્યો દિલ્હીવાસીઓનો માથાનો દુખાવો, ગાઝીપુર બૉર્ડર પર થયો લાંબો જામ
Traffic Advisory: ખેડૂતોની આ 'દિલ્લી ચલો' કૂચ હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર શંભુ બોર્ડર પર રોકાઈ ગઈ છે, પરંતુ તેનાથી દિલ્હીવાસીઓનો માથાનો દુખાવો ફરી એકવાર વધી ગયો છે. દિલ્હી પોલીસે ગાઝીપુર બૉર્ડર પર ફ્લાયઓવરની નીચેથી દિલ્હી આવતા તમામ રૂટ બંધ કરી દીધા છે, જેના કારણે ગાઝીપુર-યુપી બૉર્ડર પર લાંબો ટ્રાફિક જામ છે.
Traffic Advisory: પંજાબના હજારો આંદોલનકારી ખેડૂતો આજે એકવાર ફરી દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર છે. ખેડૂતોની આ 'દિલ્લી ચલો' કૂચ હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર શંભુ બૉર્ડર પર રોકાઈ ગઈ છે, પરંતુ તેનાથી ફરી એકવાર દિલ્હીવાસીઓનો માથાનો દુખાવો વધી ગયો છે. ખેડૂતોની તાજેતરની જાહેરાત બાદ દિલ્હી પોલીસે શહેરની તમામ બૉર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
ખેડૂતોની "દિલ્હી તરફ કૂચ"ને લઈને એલર્ટ બાદ દિલ્હી પોલીસે ગાઝીપુર બૉર્ડર પર નાકાબંધી કરી દીધી છે. પોલીસે ગાઝીપુર બૉર્ડર પર ફ્લાયઓવરની નીચેથી દિલ્હી આવતા તમામ માર્ગો બંધ કરી દીધા છે, જેના કારણે ગાઝીપુર-યુપી બૉર્ડર પર લાંબો ટ્રાફિક જામ છે. બુધવારે સવારે યુપીથી દિલ્હી તરફ આવતા લોકો ટ્રાફિક જામના કારણે કલાકો સુધી અટવાયા હતા.
દિલ્હી પોલીસની ટ્રાફિક એડવાઈઝરી
બીજી તરફ દિલ્હી પોલીસે આ ખેડૂતોના આંદોલનને જોતા લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી બચાવવા માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 21 ફેબ્રુઆરીએ ખાસ ટ્રાફિક વ્યવસ્થાને કારણે કૃપા કરીને આઈપી ફ્લાયઓવરથી એ-પ્વાઈન્ટ ની તરફ જવા માટે આઈપી માર્ગના બન્ને કેરેજવે અને તેનાથી વિરુદ્ધ આઈટીઓ ચોક, ડીડીયુ માર્ગ, બીએસઝેડ માર્ગ, જેએલએન માર્ગ, શાંતિ વાન ક્રૉસિંગ અને રાજઘાટ ક્રૉસિંગ તરફ જતા રસ્તાને 09.30 વાગ્યા થી 11.30 સુધી ટાળો.
જણાવી દઈએ કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદાકીય ગેરંટીને લઈને કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાટાઘાટોની નિષ્ફળતા બાદ વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર બે જગ્યાએથી બુધવારે ફરી માર્ચ શરૂ કરવા માટે તૈયાર છે. વિરોધ કરી રહેલા ખેડૂતો હજુ પણ રાષ્ટ્રીય રાજધાનીથી 200 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દિલ્હી પોલીસે મંગળવારે તે સુનિશ્ચિત કરવા માટે અભિયાસ કર્યો છે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમણે પ્રવેશ કરવાથી રોકાવા માટે લગાવામાં આવ્યા બેરિકેડ્સને પાર ન કરે.
બીજી તરફ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે બુધવારે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ આગળ વધશે. દલ્લેવાલે કહ્યું, 'અમારો ઈરાદો શાંતિને ખલેલ પહોંચાડવાનો નથી.' તેમણે શંભુ બોર્ડર પર પત્રકારોને કહ્યું, 'અમે વિનંતી કરીએ છીએ કે અમે શાંતિપૂર્ણ રીતે દિલ્હી જવા માંગીએ છીએ. સરકાર જાતે જ અવરોધો દૂર કરે અને અમે દિલ્હી તરફ આગળ વધીએ અને દિલ્હીમાં બેસી શકીએ તેવી વ્યવસ્થા કરવી જોઈએ.