માત્ર 5 રૂપિયામાં મળશે ખાંસીથી રાહત, ફળની ટોપલીથી કાઢીને ખાવો આ વસ્તુ, ડાયાબિટીસ માટે પણ છે રામબાણ | Moneycontrol Gujarati
Get App

માત્ર 5 રૂપિયામાં મળશે ખાંસીથી રાહત, ફળની ટોપલીથી કાઢીને ખાવો આ વસ્તુ, ડાયાબિટીસ માટે પણ છે રામબાણ

Guava Health Benefits: શિયાળામાં જામફળ ખૂબ ખાવામાં આવે છે. તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે, તો તેનાથી ખાસીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ડાયેટિશિયન પાસેથી જામફળના ફાયદા જાણી લો.

અપડેટેડ 11:35:45 AM Dec 28, 2023 પર
Story continues below Advertisement

Health Benefits of Guava: શરીરને સ્વસ્થ રાખવા માટે લોકોને મોસમી ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં નારંગી અને જામફળ સૌથી વધું જોવા મળે છે, જેની ખૂબ મજા આવે છે. નારંગીનો સ્વાદ ખાટો-મીઠો હોય છે, જ્યારે જામફળનો સ્વાદ મીઠો હોય છે. જામફળ પોષક તત્વોનો ભંડાર છે અને તેનું સેવન ઠંડીની ઋતુમાં કરવું જોઈએ. શિયાળામાં જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર જામફળ ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને રોગોનું જોખમ ઓછું થાય છે.

મેદાંતા હોસ્પિટલના પૂર્વ ડાયટિશિયન કામિની સિન્હાના અનુસાર શિયાળામાં જામફળ ખાવું ફાયદાકારક છે અને લોકોએ તેનું સેવન જરૂર કરવું જોઈએ. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી ઈન્યૂનિટી મજબૂત હોય છે અને શરદી-ખાસીથી રહાત મળે છે. જામફળમાં કાળું મીઠું નાખીને ખાવામાં આવે, તો તે વધુ ફાયદાકારક બને છે. ખાસ વાત એ છે કે જામફળ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે અને શુગરના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે. જામફળનું સેવન તમે દિવસના કોઈપણ સમયે કરી શકો છો. જો કે રાત્રે ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ખાસીના માટે રામબાણ છે જામફળ


ડાઈટિશિયન કામિની સિંહા કહે છે કે જે લોકો શરદી અને ખાસીથી પીડિત છે, તેમના માટે જામફળ રામબાણ સાબિત થઈ શકે છે. આવા લોકોએ જામફળને ગેસ પર સારી રીતે રાંધી લો અને પછી તેને મેશ કરીને તેમાં કાળું મીઠું મિક્સ કરવું જોઈએ. પછી આ જામફળનું સેવન કરી લો. આવું કરવાથી લોકોને ખાસીથી ઝડપથી રાહત મળે છે. પાકેલા જામફળમાં કાળું મીઠું મિક્સ કરવાતી દવાંની રિતે કામ કરે છે અને ખાસીથી તરત રાહત મળે છે. જો તમે શરદી-ખાસીથી પરેશાન છો, તો જામફળને રાંધીને ખાઓ. તેનાથી તમને ઘણા આશ્ચર્યજનક ફાયદા મળી શકે છે.

જાણો જામફળના અન્ય ફાયદા

જામફળને કબ્ઝથી રહાત આપવામાં અસરકારક માનવામાં આવે છે, કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને બાઉલ મૂવમેન્ટમાં પણ સુધારો થઈ શકે છે. આ ફળ પેટના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ઘણી રિસર્ચમાં આ વાત સામે આવી છે કે જામફળ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. જામફળમાં પોટેશિયમ અને સોડિયમ સારી માત્રામાં હોય છે, જેથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જામફળ ખાવાથી હાઈ કોલેસ્ટ્રૉલ પણ ઘટાડી શકાય છે. આનાથી હૃદયની હેલ્થ ઈમ્પ્રૂલ થાય છે અને હાર્ટ ડિજીઝનું જોખમ ઓછું થાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 28, 2023 11:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.