MIS Scheme: જો તમે સેવિંગ અને ઇન્વેસ્ટના સંદર્ભમાં તમારા પૈસા ક્યાંક રોકાણ કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની યોજનાઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ સંપૂર્ણપણે સિક્યોર છે અને તેના પર કોઈપણ પ્રકારનું જોખમ નથી. પોસ્ટ ઓફિસ લોકોને વિવિધ પ્રકારની યોજનાઓ પણ આપે છે. જો તમે પણ તમારા પૈસા પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ (MIS)માં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો.
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે એક વર્ષ પછી પણ તમારું એકાઉન્ટ બંધ કરાવી શકો છો. જો કે, તે કિસ્સામાં તમારી થાપણમાંથી 2% કાપવામાં આવશે. આ યોજનામાં કોઈપણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હાલમાં માસિક સેવિંગ પર વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આ યોજનામાં, ખાતું ખોલવાની તારીખથી એક મહિનો પૂરો થયા પછી, તમને વ્યાજનો લાભ મળવાનું શરૂ થઈ જશે. તમને ખાતું ખોલવાની તારીખે દર મહિને વ્યાજનો લાભ આપવામાં આવશે. જેના કારણે તમે દર મહિને કમાણી કરતા રહેશો. સ્કીમમાં લોકઇન પિરિયડ 5 વર્ષનો છે. જેને 5-5 વર્ષ માટે પણ વધારી શકાય છે.