Pradhan Mantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી જ એક યોજનાની સરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ તરત જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ દેશમાં 1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવશે. તેને લઈને પીએમ મોદીએ એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો ફાયદો કોને મળશે અને તેના નિયમો શું છે.
યોજના હેઠળ કોને મળશે લાભ?
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ થવા જઈ રહી છે. સુદૂર ક્ષેત્રમાં રહેવા વાળા લોકોને તેની યોજનાના અંતર્ગત લગાવામાં આવશે. હાલમાં સરકારની તરફથી તેના લઈને ઘણી દિશા-નિર્દેશ રજૂ નહીં કરવામાં આવ્યા છે, પરંતુ કહેવામાં આવી રહ્યા છે કે જે પરિવારોની આવક બે લાખ રૂપિયાથી ઓથી રહેશે તેનો યોજનાનો ફાયદો મળશે. હાલમાં એક કરોડ લોકોને યોજનાના હેઠળ લાવામાં આવશે. સોલર પેનલ બાદ લોકો વિજળીની ટેન્શનથી મુક્ત થઈ જશે. આ યોજના વધું ફાયદા તે રાજ્યોના લોકોને થશે, જ્યા વિજળી ઘણી મોંધી છે.