માર્ચમાં 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા, 2016માં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી નોટ - The total value of Rs 2000 notes, introduced for the first time in 2016, fell from 37.3 per cent to 10.8 per cent in March. | Moneycontrol Gujarati
Get App

માર્ચમાં 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા, 2016માં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી નોટ

RBI દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2018એ સર્કુલેશનમાં આ નોટોની ટોટલ વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી, જે 31 માર્ચ, 2023એ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કુલ નોટોનું સર્કુલેશનનો લેવલ 10.8 ટકા હિસ્સો છે.

અપડેટેડ 03:28:48 PM May 20, 2023 પર
Story continues below Advertisement

2000 Note Ban: 2000 રૂપિયાની નોટોને કારણે મોટો ઘટાડો આવ્યો છે. આરબીઆઈના આંકડાનાઅનુસાર, સર્કુલેશનમાં 2000 ના નોટોનું કુલ મૂલ્ય માર્ચ 2018 માં 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા થઈ ગયો છે. આંકડાના અનુસાર 31 માર્ચ 2018 ના સર્કુલેશનમાં આ નોટોની ટોટલ વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી. જો કે 31 માર્ચ, 2023એ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા તઈ ગઈ છે. આ કુલ નોટોના સર્કુલેશનના ફક્ત 10.8 ટકા હિસ્સો છે. આરબીઆઈએ આગળ કહ્યું છે કે, "આ જોવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની બેન્કનોટ લેન-દેન માટે સરેરાર પર ઉપયોદમાં નહીં આવે, તેના સિવાય અર્થવ્યવસ્થાની જરૂરત માટે અન્ય મૂલ્યવર્ગના નોટોની પર્યાપ્ત માત્રા ઉપલબ્ધ છે.

આરબીઆઈનું કહેવું છે કે આ કારણોથી અને ભારતીય રિઝર્વ બેન્કની "સ્વચ્છ મુદ્રા નીતિ"ને ધ્યાનમાં રાખતા 2000 મૂલ્યવર્ગના બેન્કનોટોને સર્કુલેશનથી પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પહેલા આરબીઆઈએ કહ્યું હતું કે તે રિવ્યૂના આધાર પર 2000 રૂપિયાની નોટને કારણે પરત લઈ રહી છે. જો કે, આરબીઆઈએ વિત્રાપ્તિમાં કહ્યું છે કે 2000 રૂપિયાના મૂલ્યવર્ગની નોટ લીગલ ટેન્ડર બની રહેશે.

30 સપ્ટેમ્બર સુધી વૈલિડ રહેશે નોટ


RBIએ કહ્યું છે કે 2000એ નોટ 30 સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે. જણાવી દઈએ કે સામાન્ય લોકો 30 સપ્ટેમ્બર સુધી પોતાની સંબંધિત બેન્ક અકાઉન્ટમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકો છો અથવા બદલી શકો છો. આ સુવિધા 23 મે થી RBI અને દેશભરની બીજા અન્ય બેન્કોના તમામ ક્ષેત્રીય કાર્યાલોમાં ઉપલબ્ધ રહેશે. RBIના અનુસાર પરિચાલન સુવિધાને બનાવી રાખવાનો અને બેન્ક બ્રન્ચ રેગુલર કામકાજમાં અડચનોને ઘટાડવા માટે 20,000 રૂપિયા સુધીના 2000 નો નોટ બદલી શકે છે.

2016માં પહેલી વાર રજૂ કર્યા હતા નોટ

પહેલી વાર 2016 માં RBI અધિનિયમ 1934 ની ઘારા 24(1)ના હેઠળ 2000 રૂપિયાની નોટ રજૂ કરી છે. તેમાં કહ્યું છે કે 500 અને 1000 રૂપિયાનો નોટના વિમુદ્રીકરણ બાદ અર્થવ્યવસ્થાની જરૂરતોને પરા કરવા માટે 2000ની કરેન્સી શરૂ કરી હતી. કારણ કે બીજી કિમત બેન્કનોટ ઘણી માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ હતી. RBIએ 2018-19માં રૂપિયા 2000ના નોટોની છપાઈ બંધ કરવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: May 20, 2023 3:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.