Adani Ports ના શેરોમાં આવ્યો 2% વધારો, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ HSBC એ વધાર્યો લક્ષ્યાંક | Moneycontrol Gujarati
Get App

Adani Ports ના શેરોમાં આવ્યો 2% વધારો, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ HSBC એ વધાર્યો લક્ષ્યાંક

અદાણી પોર્ટ્સને લઈને HSBC એ કહ્યુ છે કે કંપની અકાર્બનિક તકો માટે વધારે ઓપન થઈ શકે છે અને પોતાની બેલેંસ શીટ મજબૂત કરી શકે છે. FY2023-26E માટે, HSBC નિષ્ણાંતોએ કંપનીના EBITDA ના 17 ટકા CAGR થી વધારવાની આશા છે. ROIC પણ FY23 ના 13 ટકાથી વધીને FY26 માં 17 ટકા થવાની આશા છે.

અપડેટેડ 11:07:09 AM Jan 04, 2024 પર
Story continues below Advertisement
ફાઈનાન્શિયલ સર્વિસિઝ ફર્મ HSBC એ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશલ ઈકોનૉમિક ઝોન (Adani Ports and Special Economic Zone) ના શેરમાં તેજી આવવાનું અનુમાન છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ફાઈનાન્શિયલ સર્વિસિઝ ફર્મ HSBC એ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશલ ઈકોનૉમિક ઝોન (Adani Ports and Special Economic Zone) ના શેરમાં તેજી આવવાનું અનુમાન છે. તેને જોતા ફર્મે સ્ટૉક માટે લક્ષ્યાંક પ્રાઈઝ વધારીને 1250 રૂપિયા કરી દીધા છે. 03 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટથી અદાણી સમૂહ (Adani Group) ને હિંડનબર્ગ કેસ (Hindunberg Case) માં રાહત મળી હતી. ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરોમાં રોકાણકારોનો ભરોસો ફરી આવ્યો છે.

    તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં અદાણી સમૂહની વિરૂદ્ધ અરજીઓ રદ કરી દીધી છે. કોર્ટે આ કેસમાં અદાણી સમૂહના વિરૂદ્ધ માર્કેટ રેગુલેટર સેબીને પોતાની લાંબી તપાસ ત્રણ મહીનાની અંદર પૂરી કરવાનું કહ્યુ છે. સાથે જ તે પણ કહ્યુ છે કે આ કેસમાં કોઈ વધારે તપાસ માટે વિશેષ તપાસ દળ (એસઆઈટી) કે સીબીઆઈને આદેશ આપવાનો કોઈ આધાર નથી.

    અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગની રિપોર્ટમાં અદાણી સમૂહ પર શેર મૂલ્યમાં હેરાફેરીનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવવાની બાદ સમૂહની કંપનીઓના માર્કેટ કેપમાં ભારી ઘટાડો આવ્યો હતો.


    HSBC ની અદાણી પોર્ટ્સ પર લક્ષ્યાંક વધાર્યો

    અદાણી પોર્ટ્સને લઈને HSBC એ કહ્યુ છે કે કંપની અકાર્બનિક તકો માટે વધારે ઓપન થઈ શકે છે અને પોતાની બેલેંસ શીટ મજબૂત કરી શકે છે. FY2023-26E માટે, HSBC નિષ્ણાંતોએ કંપનીના EBITDA ના 17 ટકા CAGR થી વધારવાની આશા છે. ROIC પણ FY23 ના 13 ટકાથી વધીને FY26 માં 17 ટકા થવાની આશા છે.

    અદાણી પોર્ટ્સના સ્ટૉકમાં આવ્યો 2% વધારો

    અદાણી પોર્ટ્સના શેરોમાં 04 જાન્યુઆરીની શરૂઆતી કારોબારમાં તેજી દેખાય રહી છે. શેર બીએસઈ પર છેલ્લા બંધ ભાવથી 2.3 ટકાની તેજીની સાથે 1118.95 રૂપિયા પર ખુલ્યો છે. દિવસમાં સ્ટૉકમાં વધારે પણ તેજી આવવાની આશા જતાવામાં આવી રહી છે.

    5000 કરોડ એકઠા કરવાની તૈયારી, બોર્ડમાં મોટો બદલાવ

    04 જાન્યુઆરીના એક રેગુલેટરી ફાઈલિંગમાં, અદાણી પોર્ટસની તરફથી કહેવામાં આવ્યુ છે કે બોર્ડે એક કે વધારે હપ્તાઓમાં નૉન કનવર્ટિબલ ડિબેંચરના માધ્યમથી 5,000 કરોડ રૂપિયા સુધીની ધનરકમ એકઠા કરવાની મંજૂરી આપી દીધી છે. તેના અતિરિક્ત અદાણી પોર્ટ્સના મેનેજમેંટમાં બદલાવ કરતા કંપનીએ ઘોષણા કરી છે કે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કરન અદાણીને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં ફરીથી નામિત કરવા માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. અશ્વિની ગુપ્તાને 3 વર્ષની સમય માટે સીઈઓ અને હોલ ટાઈમ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્તિ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    Today's Broker's Top Picks: આઈટી સર્વિસિઝ, અદાણી પોર્ટ, ટાટા મોટર્સ, ઈન્ડિયન હોટેલ્સ, શોભા છે બ્રોકરેજના રડાર પર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 04, 2024 11:07 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.