કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, PM નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહી આ વાત
PM મોદીએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવાની ઇચ્છા દ્વારા માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે આજે જ્યારે આપણે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ સંયોજનના 9 વર્ષ છે.
કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવાની ઇચ્છા દ્વારા માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે આજે જ્યારે આપણે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ, ત્યારે હું નમ્રતા અને કૃતજ્ઞતાથી સૌનો આભાર વ્યક્ત કરું છું. દરેક નિર્ણય, લેવાયેલ દરેક સ્ટેપ લોકોના જીવનને સુધારવાની ઇચ્છા દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. અમે વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે વધુ સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું.
9 years of unwavering dedication to the nation’s growth.
I invite everyone to visit this site https://t.co/jWxyZLPPcU to get a glimpse of our development journey. It also gives an opportunity to highlight how people have benefited from various Government schemes. #9YearsOfSeva
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ સંયોજનના 9 વર્ષ છે. આજે એક તરફ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે અને વિશ્વમાં ગૌરવના નવા આયામો સર્જી રહ્યો છે તો બીજી તરફ સરકારે વિકાસ અને ગરીબ કલ્યાણના નવા માપદંડો સ્થાપિત કર્યા છે.
मोदी सरकार के 9 वर्ष सुरक्षा, राष्ट्रीय गौरव, विकास व गरीब कल्याण के अभूतपूर्व संयोजन के 9 वर्ष रहे हैं।आज एक ओर मोदी जी के नेतृत्व में देश सुरक्षित है और विश्व में गौरव के नए आयाम बना रहा है, वहीं दूसरी ओर सरकार ने विकास व गरीब कल्याण के नए मापदंड स्थापित किये हैं।#9YearsOfSevapic.twitter.com/0QbpzmG4Qn
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભાજપ આજથી દેશભરમાં તેનું મેગા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ભાજપે આ વિશેષ અભિયાન 30 જૂન સુધી ચલાવવાનું આયોજન કર્યું છે. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને પાર્ટીની મોટી કવાયત તરીકે જોવામાં આવી રહી છે. પીએમ મોદી પોતે બુધવારે રાજસ્થાનના અજમેરમાં રેલીને સંબોધિત કરશે.