Gujarat Elections 2022: ગુજરાતમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ 20 વર્ષમાં પ્રથમ વખત ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. વ્યારા બેઠક પરથી આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે એકલા ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતાર્યા છે. ભગવા પાર્ટીના મોહન કોંકણીનો મુકાબલો વ્યારાના ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પુનાજી ગામીત સામે થશે.
48 વર્ષીય કોંકણી તાપી જિલ્લાના વ્યારા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર છે, જે ખ્રિસ્તી અને આદિવાસી વિસ્તારમાંથી આવે છે. તે ડોલવણ તાલુકાના હરીપુરા ગામના રહેવાસી છે. તો, વ્યારા વિધાનસભા વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે. વ્યારા વિધાનસભા મત વિસ્તારના 2.23 લાખ મતદારોમાંથી લગભગ 45 ટકા મતદારો ખ્રિસ્તી છે.
કોંગ્રેસના 64 વર્ષીય નેતા ગામિત 2007થી વ્યારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે, કોંકણી એક સામાજિક કાર્યકર અને ખેડૂતપણ છે. જોકે તેઓ 1995થી ભાજપના સક્રિય સભ્ય છે. 2015માં તેમણે તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સહકારી નેતા માવજી ચૌધરીને હરાવ્યા હતા અને હાલમાં તેઓ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.
ભાજપનો કર્યો આભાર વ્યક્ત
ભાજપના નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા મોહન કોંકણીએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું કે, હું પાર્ટી હાઈકમાન્ડ અને ભાજપનો મારામાં વિશ્વાસ અને એ વિશ્વાસ માટે ઋણી છું. હું વ્યારામાં 1 ડિસેમ્બરે (મતદાનની તારીખ) ઇતિહાસ રચીશ અને મને તેની ખાતરી છે. વ્યારામાં રાજકીય વાતાવરણ સુધર્યું છે અને હું મતવિસ્તારના 72,000 ખ્રિસ્તી મતદારોના સમર્થન પર વિશ્વાસ કરી શકું છું.
સૌનો સાથ, સૌનો વિકાસ
જ્યારે વ્યારામાં ભાજપના લઘુમતી તરફી વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, હું ભાજપના શાસનમાં કોઈપણ સરકારી અધિકારી સાથે વાત કરી શકું છું અને મારી ચિંતાઓને દૂર કરી શકું છું. હિન્દુત્વનો યુગ પૂરો થઈ ગયો છે, અને હવે સબકા સાથ, સબકા વિકાસનો યુગ છે. 182 ગુજરાત વિધાનસભાની બેઠકોમાંથી 27 આદિવાસી બેઠકોમાંથી ઓછામાં ઓછી આઠ બેઠકો મુખ્યત્વે ખ્રિસ્તી છે.
2007ની ચૂંટણી બાદથી ખ્રિસ્તી આદિવાસીઓની ભાજપ પ્રત્યેની નારાજગી ઘણી ઓછી થઈ ગઈ છે. સહકારી અને ડેરી યોજનાઓ, બંને રાજ્ય સરકારની યોજનાઓ, આદિવાસીઓ માટે આકર્ષક માનવામાં આવે છે કારણ કે તે આદિવાસીઓના સભ્યોને સીધો આર્થિક લાભ પ્રદાન કરે છે. એક રાજકીય વિશ્લેષકે નામ ન આપવાની શરતે HTને જણાવ્યું હતું કે, ભાજપ માટે આ એક વિજય છે, જે પહેલાથી જ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને બદલે પ્રબળ શક્તિ તરીકે ઉભરી આવી છે.