મદરેસાઓમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ - madarsa students from 1 to 8th class scholarship has been stopped by the central government | Moneycontrol Gujarati
Get App

મદરેસાઓમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ

અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂ.1000ની શિષ્યવૃત્તિ મળતી હતી, ધોરણ 6થી 8ના બાળકોને અલગ અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ અપાતી, મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો મફત આપવામાં આવે છે

અપડેટેડ 03:40:04 PM Nov 28, 2022 પર
Story continues below Advertisement

કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી મદરેસામાં ધોરણ 1થી 5 સુધીના બાળકોને રૂ.1000ની શિષ્યવૃત્તિ મળતી હતી. સાથે જ ધોરણ 6થી 8ના બાળકોને અલગ અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી.

મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો મફત આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે 9 અને 10ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ સ્કોલરશિપ મળતી રહેશે. તેમની અરજીઓ લેવામાં આવશે.

આ પણ વાંચો - પહેલા તબક્કાના મતદાન પહેલા ઝંઝાવાતી પ્રચાર: ભાજપ, કોંગ્રેસ, આપના કેન્દ્રીય નેતાઑની ઉતરી ફોજ

જણાવવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે રાજ્યની 16 હજાર 558 મદરેસાઓમાં 4 થી 5 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વખતે નવેમ્બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે.

યુપીમાં મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરવામાં આવશે
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તાજેતરમાં મદરેસાઓનો સર્વે કર્યો હતો. જેમાં 8496 મદરેસા માન્યતા વગરના મળી આવ્યા છે. સર્વે દરમિયાન આ મદરેસાઓની આવકનો સ્ત્રોત જકાત (દાન) જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે યુપી સરકાર મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે.


વાસ્તવમાં, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં અજાણી મદરેસાઓ મળી આવી છે. સિદ્ધાર્થનગરમાં 500, બલરામપુરમાં 400, બહરાઇચ અને શ્રાવસ્તીમાં 400, લખીમપુરમાં 200, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મહારાજગંજમાં 60 અજાણી મદરેસાઓ મળી આવી છે. આ મદરેસાઓમાં કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, સાઉદી અને નેપાળમાંથી જકાત મળી છે. આવી સ્થિતિમાં હવે તેમના સ્ત્રોતની તપાસ કરવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2022 12:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.