Bhavnagar: માતા ફૂલ વેચે છે, પોતે વેલ્ડિંગ કામ કરે છે, ભરત બારડની મેયર બનવા સુધીની કહાણી | Moneycontrol Gujarati
Get App

Bhavnagar: માતા ફૂલ વેચે છે, પોતે વેલ્ડિંગ કામ કરે છે, ભરત બારડની મેયર બનવા સુધીની કહાણી

Bhavnagar: ભરતભાઈના નામની મેયર તરીકે જાહેરાત થતાં તેમના મિત્રો માનવા પણ તૈયાર ન હતા કે આવા સમાન્ય પરિવાર અને કૅબિન ધરાવતી વ્યક્તિને આવડું મોટુ પદ અપાયું છે.

અપડેટેડ 01:24:45 PM Sep 27, 2023 પર
Story continues below Advertisement
Bhavnagar: ભરતભાઈના નામની મેયર તરીકે જાહેરાત થતાં તેમના મિત્રો માનવા પણ તૈયાર ન હતા કે આવા સમાન્ય પરિવાર અને કૅબિન ધરાવતી વ્યક્તિને આવડું મોટુ પદ અપાયું છે.

Bhavnagar: લગભગ બે અઠવાડિયાં પૂર્વે ગુજરાતની છ મહાનગરપાલિકામાં મેયરપદ ખાલી પડતાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જે પૈકી ગત 12 સપ્ટેમ્બરે ભાવનગર મહાનગરપાલિકામાં મેયરપદ માટે એક એવા નામની જાહેરાત કરાઈ, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે.

ભાવનગરના 61 વર્ષીય ભરતભાઈ બારડના નામની જાહેરાત થતાં ‘રાજકારણમાં સામાન્ય માણસ માટે તકનો અભાવ અને વગદારોનું વર્ચસ્વ હોવા’ જેવી માન્યતાઓને પડકારતું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભાવનગરના તખ્તેશ્વર વોર્ડ નંબર સાતના નગરસેવક ભરતભાઈ બારડ એક ખૂબ જ સામાન્ય કુટુંબમાંથી આવે છે. તેમની શહેરના મેયરપદે થયેલી વરણીને લોકો ‘પ્રામાણિકતાનો બદલો’ અને ‘સુયોગ્ય’ ગણાવી રહ્યા છે. દસમા સુધી ભણેલા ભરતભાઈ બારડ પોતાનું ગુજરાન ચલાવવા માટે પાછલાં લગભગ 40 વર્ષથી શહેરના વડવા વૉશિંગઘાટ વિસ્તારના રસ્તે એક નાનકડી કેબિનમાં વેલ્ડિંગ કામ કરે છે. તેમનાં 82 વર્ષીય માતા ગજરાબહેન પણ ભાવનગરના શિવેશ્વર હનુમાન મંદિરે ફૂલો વેચે છે.

મીડિયા સાથેની વાતચીતમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે તેઓ જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમની આ કહાણી સામે આવતાં સોશિયલ મીડિયા પર પણ તેમની ‘સાદગી, પ્રામાણિકતા અને ખંત’ને બિરદાવાઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2002નાં અનુગોધરા રમખાણોમાં તેમની સામે હિંસા સંબંધિત ગુનો દાખલ કરાયો હતો. જેમાં તેમનો નિર્દોષ છુટકારો પણ થયો છે.


નોંધનીય છે કે ભરતભાઈ પોતે માળી સમુદાયના છે. આ સમુદાયની ભાવનગરમાં આઠ હજારની જ વસતિ છે. અન્ય સમુદાયોની સરખામણીએ સંખ્યાની દૃષ્ટિએ નાના સમુદાયમાંથી આવતા ભરતભાઈની ‘સ્વચ્છ અને નિષ્ઠાવાન કાર્યકર’ તરીકેની છબિને કારણે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા હોવાનું તેમના સમર્થકો માને છે.

આ પણ વાંચો - Indian Railways: ભારતીય રેલ્વેએ દેશભરમાં 'સ્વચ્છતા હી સેવા અભિયાન' શરૂ કર્યું, 1.5 લાખ લોકોએ 9 દિવસમાં 5 લાખ ‘મેન-અવર’ સમર્પિત કર્યા

MoneyControl News

MoneyControl News

First Published: Sep 27, 2023 1:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.