મહેસાણામાં પીએમ મોદીની જંગી સભા, કહ્યું અહીંના પરસેવાની સુવાસ, આખો દેશ ગૌરવ કરે. - pm modis public meeting in mehsana | Moneycontrol Gujarati
Get App

મહેસાણામાં પીએમ મોદીની જંગી સભા, કહ્યું અહીંના પરસેવાની સુવાસ, આખો દેશ ગૌરવ કરે.

સાત બેઠકના મતદારો પાસે માગ્યું સમર્થન, 2017માં ભાજપે ઊંઝા અને બેચરાજી બેઠક ગુમાવી હતી, BJPએ ઊંઝા સીટ 2019માં પેટા ઈલેક્શનમાં જીતી

અપડેટેડ 11:32:06 AM Nov 24, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: PM નરેન્દ્ર મોદીએ મહેસાણામાં સભા સંબોધતા કહ્યું કે થોડા દિવસ પહેલાં તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો હતો. આ પહેલા મોઢેરા આવ્યો હતો. મોઢેરા સુર્યગ્રામનું લોકાર્પણ કર્યુ હતું. મોઢેરા અને મહેસાણા જિલ્લો વિશ્વમાં ચમકી ગયો. આ માટીએ મને મોટો કર્યો છે. આ માટીએ મને સંસ્કારિત કર્યો છે. અહીંના પાણીએ મને ઘડ્યો છે. અહીંના પરસેવાની સુવાસ, આખો દેશ ગૌરવ કરે.

ફિર એકબાર ભાજપ સરકાર
તેમણે વધુમાં કહ્યું કે મહેસાણા રાજકીય રીતે ખુબ જાગૃત જિલ્લો છે. મહેસાણા જિલ્લો ભવિષ્ય નક્કી કરે છે. માતા - બહેનોનો વિશેષ આભાર માનુ છુ. ગત બે ત્રણ વખત દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગયો. આ વખતે ઉત્તર ગુજરાતમાં આવ્યો છુ. આ ચૂંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભૂપેન્દ્ર લડે છે. આ વખતે ગુજરાતની ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતનાં યુવાનોએ આ વિજય ધ્વજ પોતાનાં હાથમાં લીધો છે. જ્યાં જઇએ ત્યાં એક જ નારો, ફીર એકબાર ભાજપ સરકાર.

યુવાપેઢી ભાજપ સાથે આગળ
PM મોદીએ કહ્યું કે યુવાનો જાહેર જીવનમાં રસ લેતા થયા છે. યુવાપેઢી ભાજપનો ઝંડો લઇને આગળ વધી રહી છે. આ પેઢી આંખે પાટા બાંધીને નીકળેલી પેઢી નથી. તે એક એક પગલાનું નિરીક્ષણ કરી નિર્ણય કરે છે. તેણે જોયું છે કે કોંગ્રેસની સરકારનું મોડેલ કેવું હતુ. તેમને લાગે છે કે દેશને આગળ લઇ જવા ભાજપ સક્ષમ. ભાજપની નીતિ, રણનીતિ જ કામ લાગવાની છે.

આ પણ વાંચો - ગુજરાત ચૂંટણી પહેલા રોકડ જપ્તી ચાલુ, સુરતમાં ઇનોવા કારમાંથી રૂપિયા 75 લાખ ઝડપાયા

કોંગ્રેસ એટલે અરબો ખરબોનો ભ્રષ્ટાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસનું મોડેલ એટલે અરબો ખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડેલ એટલે ભાઇ - ભત્રીજાવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ, પરિવારવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ, પરિવારવાદ. કોંગ્રેસની પહેચાન એટલે વોટબેંક પોલિટિક્સ. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા. PM મોદીની મહેસાણામાં જનસભા યોજાઇ રહી છે. જેમાં મહેસાણાની સાત બેઠક માટે પ્રચાર કરશે. તથા સાત બેઠકના મતદારો પાસે સમર્થન માગશે. 2017માં ભાજપે ઊંઝા અને બેચરાજી બેઠક ગુમાવી હતી. તથા BJPએ ઊંઝા સીટ 2019માં પેટા ચૂંટણીમાં જીતી હતી.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2022 1:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.