મોરબી પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટમાં સરકારે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો. દુર્ઘટના બાદ SITના રિપોર્ટને ધ્યાને લેતા કુલ 10ની ધરપકડ કરાઈ હોવાનો સરકારે રિપોર્ટ રજૂ કર્યો. ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલ સહિત ચાર આરોપીઓ હજુ પણ જેલમાં બંધ હોવાનો સરકારનો રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. 6 આરોપીઓને કોર્ટે જામીન મુક્ત કર્યા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે.
સાથે જ ઝુલતાપુલ દુર્ઘટના જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે રાજ્યવ્યાપી નીતિ બનાવી હોવાનો સરકારનો દાવો કર્યો છે. 1441 બ્રિજના રિપેરીંગ અને મરામત માટે પાલિકાઓ અને કોર્પોરેશનને આવરી લેતી નીતિ બનાવાઈ હોવાની સરકારની રજૂઆત છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને અત્યાર સુધી ચૂકવેલા વળતરની વિગતો પણ રિપોર્ટમાં આપવામાં આવી છે.
ઝુલતાપુલ દુર્ઘટના જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે રાજ્યવ્યાપી નીતિ બનાવી હોવાનો સરકારનો દાવો છે. 1441 બ્રિજના રિપેરીંગ અને મરામત માટે પાલિકાઓ અને કોર્પોરેશનને આવરી લેતી નીતિ બનાવાઈ હોવાની સરકારની રજૂઆત કરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને અત્યાર સુધી ચૂકવેલા વળતરની વિગતો પણ રિપોર્ટમાં મુકાઈ છે.
અત્યાર સુધી લેવાયેલા પગલા માત્ર એડહોક ધોરણે અને સ્થિતિની અરજન્સીને જોતા લેવાયા હોવાની સરકારની રજૂઆત કરી છે. નગરપાલિકાને સુપર સીડ કરવાની કાર્યવાહી અને ચીફ ઓફિસરના સસ્પેન્શનને સમયાંતરે વધાર્યું હોવાની રજૂઆત કરી છે.