મહારાષ્ટ્રના મુંબઈમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી શક્યતા છે કે આવા સ્થળોએ આ હુમલા થશે. જ્યાં એક સાથે અનેક લોકોને નુકસાન થઈ શકે છે અથવા VVIP લોકો પર પણ હુમલો થઈ શકે છે. આ કારણોસર પોલીસે કલમ 144 લાગુ કરવાની સાથે આકાશમાં ઉડતા ડ્રોન વગેરે પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી મુંબઈમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય.



