જન્મતારીખના પુરાવા માટે આધાર માન્ય નથી, EPFOના સબ્સક્રાઈબર્સ માટે મોટા સમાચાર | Moneycontrol Gujarati
Get App

જન્મતારીખના પુરાવા માટે આધાર માન્ય નથી, EPFOના સબ્સક્રાઈબર્સ માટે મોટા સમાચાર

EPFO latest News: આધાર કાર્ડ હવે તેમારી જન્મતારીખ (Date of Birth)નો પુરાવો નહીં રહેશે. આ સંબંધિમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ નોટિફિકેશન રજૂ કર્યું છે.

અપડેટેડ 01:43:59 PM Jan 18, 2024 પર
Story continues below Advertisement

EPFO Latest News: 12 અંકના યૂનિક સંખ્યા વાળા તમારો આધાર (Aadhaar) હવે તમારી જન્મતારીખનો પુરાવો નહીં રહેશે. આ સંબંધમાં UIDAI તરફથી એક પત્ર મળ્યા બાદ EPFO ​​એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આધારને જન્મતારીખના પુરાવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની લિસ્ટથી હટાવી દીધો છે.

આનો અર્થ એ થયો કે હવે કોઈપણ નોકરી કરતા કર્મચારી તેના EPF ખાતામાં તેની જન્મતારીખને સાબિત કરવા અથવા તેને સુધારવા માટે આધારનો પુરાવા તરીકે ઉપયોગ નહીં કરી શકશે.

UIDAI તરફથી મળેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જન્મતારીખના પુરાવા તરીકે આધાર (Aadhaar)ને સ્વીકાર્ય દસ્તાવેજો (Acceptable Documents)ની લિસ્ટથી હટાવવાની જરૂર છે. આ પછી આધારને હવે જન્મતારીખના પુરાવા અથવા સુધારણા માટે માન્ય દસ્તાવેજોની લિસ્ટથી હટાવામાં આવી રહ્યો છે.


ઓળખ અને સરનામાના પુરાવા માટે માન્ય રહેશે આધાર

આધાર એ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) દ્વારા રજૂ કરવામાં આવેલ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. તે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. UIDALએ જન્મતારીખના પુરાવા માટે આધારના ઉપયોગ પર કહ્યું કે તેનો ઉપયોગ જન્મતારીખના પુરાવા તરીકે નહીં કરી શકાતો.

જો કે આધાર, આજના સમયમાં ભારતીય નાગરિક માટે ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. 12 અંકના યૂનિક સંખ્યા વાળા આધાર, ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્ય રહેશે.

તો પછી કયા દસ્તાવેજો માન્ય રહેશે?

તમારા EPF ખાતામાં જન્મતારીખ પુરાવા માટે અથવા જન્મતારીખ સુધારવા માટે તમારી પાસે આધાર સિવાય અન્ય ઘણા દસ્તાવેજોનો વિકલ્પ છે. આ સંબંધમાં ઑગસ્ટ 2023માં EPFOએ પરિપત્ર રજૂ કર્યો હતો. તેમાં દાખલ કરેલ કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાય છે. જુઓ દસ્તાવેજોની લિસ્ટ:

  • રજિસ્ટ્રાર દ્વારા રજૂ કરાયેલ જન્મ પ્રમાણપત્ર (Birth Certificate).
  • પાસપોર્ટ/પાન કાર્ડ
  • સેન્ટ્રલ/સ્ટેટ પેન્શન પેમેન્ટ ઑર્ડર
  • કોઈ માન્યતા પ્રાપ્ત સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી જારી કરાયેલ માર્કશીટ.
  • કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંગઠનોના સર્વિસ રેકોર્ડ પર આધારિત સર્ટિફિકેટ.
  • આ દસ્તાવેજો સિવાય મેડિકલ તપાસના બાદ સિવિલ સર્જન દ્વારા રજૂ કર્યા મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરી શકાય છે, આ કોર્ટ દ્વારા પ્રમાણિત એફિડેવિટ એટલે કે શપથ પત્રની સાથે સ્વીકાર્ય રહેશે.

    કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા PSU દ્વારા જારી કરાયેલ CGHS/ECHS/મેડી-ક્લેમ કાર્ડ, જેમાં ફોટોગ્રાફ અને જન્મતારીખ નોંધાયેલી હોય, તેને પણ માન્ય દસ્તાવેજોની લિસ્ટમાં રાખવામાં આવ્યો છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 18, 2024 1:42 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.