Get App

Budget 2022: નોન ટેક્સ આવક વધે તો ટેક્સના દરમાં ઘટાડો આવી શકે- નિલેશ શાહ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક AMCના ગ્રુપ પ્રેસિડન્ટ અને PMEACના સભ્ય નિલેશ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2023 પર 11:36 AM
Budget 2022: નોન ટેક્સ આવક વધે તો ટેક્સના દરમાં ઘટાડો આવી શકે- નિલેશ શાહBudget 2022: નોન ટેક્સ આવક વધે તો ટેક્સના દરમાં ઘટાડો આવી શકે- નિલેશ શાહ

નિલેશ શાહનું કહેવુ છે કે વૈશ્વિક બજારની સામે ભારતીય અર્થતંત્ર ઘણું સારું પ્રદર્શન છે. ભારતીય બજાર અન્ય વૈશ્વિક બજારોની સામે પ્રિમિયમ પર હતું. આ ઘટાડો ભારતીય બજારને વિશ્વના બજારોની નજીક લઈ જશે. ભારતની ચાલુ ખાતાની ખાધ વધુ છે તે એક પડકાર છે. ચાલુ ખાતાની ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેવા જોઈએ.

નિલેશ શાહના મતે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ટેકો મળે જેથી કન્ઝમ્પશન વધે. પ્રાઈવેટ સેક્ટરનું રોકાણ વધે તે માટેના પગલા લેવા જોઈએ. નોન ટેક્સ આવક વધે તો ટેક્સના દરમાં ઘટાડો આવી શકે છે. ટેક્સના કાયદાની નબળાઈઓનો ફાયદો ઉઠાવીને લોકો ટેક્સ નથી ભરતા.


નિલેશ શાહનું માનવું છે કે ટેક્સના કાયદાઓની છટકબારી સરકારે બંધ કરવી જોઈએ. સરકારે પોતાની મિલકતો વેચીની આવક ઊભી કરવી જોઈએ. ટેક્સમાં ઘટાડો આવશે તો લોકો વધુ ટેક્સ ભરતા આવશે. હોમ લોનના વ્યાજ પર રાહત વધારવી જોઈએ.

નિલેશ શાહના મુજબ સરકારે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રોજેક્ટ માટે વધુ છૂટ આપવી જોઈએ. ભારત ઉત્પાદનમાં ઘણાં પાછળ છે. ભારતનૉ લોજિસ્ટિક ખર્ચ ઘણો વધારે છે. ઉત્પાદન સ્પર્ધાત્મક બનાવવા માટે વીજળી અને લોજીસ્ટીક ખર્ચ બજેટમાં નાખો.

બધા સમાચાર

+ વધુુ વાંચો