Budget 2023: ભારત સરકાર નવા ડાયરેક્ટ કર રીઝીમ હેઠળ ટેક્સના રેટ્સ ઘટાડવાનું વિચારી રહી છે. આ ક્રમમાં, 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સ્લેબમાં ફેરફારની ઓફર કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા ડાયરેક્ટ ટેક્સ રીઝીમને આકર્ષક બનાવવા માટે આવું કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલયમાંથી લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય નવી વ્યવસ્થા હેઠળ ટેક્સ રેટ ઘટાડીને 30 ટકા અને 25 ટકા કરી શકે છે.

